મુખ્ય સામગ્રી પર જાઓ

હવે Post Officeમાં પણ કરાવી શકાશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન, જાણો ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે

<p>કોરોના વાયરસના કહેરની વચ્ચે લોકો રસી લેવા માટે ઉત્સુક છે પણ રસી માટે રસિસ્ટ્રેશન કરાવવામાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જે લોકો પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો માટે ભારતીય ટપાલ વિભાગ આગળ આવ્યં છે. લોકો હવે પોસ્ટ ઓફિસમાં પણ કોરોના રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમની પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાલમાં જ આ સુવિધા તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે.</p> <p>ઘણાં લોકો પાસે હજુ પણ સ્માર્ટફોન નથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. ત્યારે હવે આવા લોકોને ધ્યાનમાં રાખીને મદદ માટે ભારતીય ટપાલ વિભાગ આગળ આવ્યું છે. પોસ્ટ ઓફિસમાં રસી માટે મફત નોંધણી કરાવી શકાશે. આ રસી રાજ્ય સરકાર આપશે.</p> <p><strong>ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે</strong></p> <p>જે લોકો પોસ્ટ ઓફિસમાં જઈને કોરોના રસી માટે નોંધણી કરાવવા માગતા હોય તેમણે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ લઈ જવા પડશે. સાથે જ ફોટો ઓળખ કાર્ડ પણ લઈ જવું પડશે. સ્માર્ટફોન ન હોય તો પણ સાદો ફોન લઈને&nbsp; જવો પડશે કારણે ઓટીપી મોબાઈલ ફોનમાં જ આવશે જેના દ્વારા રજિસ્ટ્રેશન થઈ શકે છે. પોસ્ટ ઓફિસ સ્ટાફ મોબાઇલ એપ્લિકેશન દ્વારા BO-Co-Win CSC&nbsp; પ્રોગ્રામ ચલાવશે અને રસી માટે નોંધણી કરશે. આ માટે પોસ્ટ ઓફિસમાંથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સામાન્ય લોકો સુવિધાનો લાભ&nbsp; મફતમાં આ લઈ શકશે.</p> <p>સમગ્ર દેશમાં કોરોના રસીનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તેના માટે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે આ નિયમ નથી. તે વેક્સિનેશન સેન્ટર પર જઈને રસી લઈ શકે છે. જોકે તે પણ ઇચ્છે તો પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે જેથી સેન્ટર પરની ભીડથી બચી શકે છે. સાથે જ સમય પર સેન્ટર પર જાય અને પોતાનો વારો આવે ત્યારે રસી લે. શહેરી વિસ્તારમાં લોકો સરળતાથી સ્લોટ બુક કરાવી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ખાસ કરીને ત્યાં જ્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા છે. આવા લોકો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે તેના માટે પોસ્ટ ઓફિસે તેલંગાણાં પહેલ કરી છે.</p>

from india https://ift.tt/3fMvwQp

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...