મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે

<p>વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે આજથી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પાંચ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને છથી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે. 15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની દસ હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે.</p> <p>શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખ. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ 20 હજારની આવક મર્યાદા રાખવામાં આવી છે. બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.</p> <p>અમદાવાદની ડીઈઓ કચેરીના વહિવટી અધિકારીઓએ વાલીઓ માટે મહત્વની સૂચના આપવામાં આવી છે. જેમાં વાલીઓ જે ફોર્મ ભરે અને ડોક્યુમેંટ સબમિટ કરે તેની સારી રીતે ચકાસણી કરી લે અને પછી જ ફોર્મ સબમિટ કરે. પાછળથી ફોર્મમાં કોઈ સુધારો થઈ શકશે નહી.</p> <p>ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક મળશે. આ વર્ષે અમદાવાદમાં 14 હજાર જેટલા વિદ્યાર્થીઓને RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવામાં આવશે.</p> <p>RTE હેઠળ નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અનાથ બાળ, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ, બાળગૃહના વિદ્યાર્થીઓ, બાળમજુર કે સ્થળાંતરિત મજૂરોના બાળકો, મંદ બુદ્ધિ કે સરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસદળના જવાનોના બાળકો સહિત જુદી જુદી 13 કેટેગરીના બાળકોને પ્રવેશમાં અગ્રમિતા અપાશે.</p> <p>નબળા અને વંચિત જુથના પરિવારો સહિત આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કુટુંબના બાળકોને આરટીઇ હેઠળ ખાનગી સ્કુલમાં ફીમાં શિક્ષણ આપવાની જોગવાઇ છે.</p> <p>ગત વર્ષે પણ બે રાઉન્ડ બાદ હજારો બેઠકો ખાલી રહી હતી ત્યારે આ વર્ષે પણ ધો.1માં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયાના 15 દિવસ બાદ&nbsp; પ્રક્રિયા શરૂ થતા બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.</p> <p>આ વર્ષે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આરટીઈના પ્રવેશ નિયમો અંતર્ગત ખાસ આદેશ કરવામા આવ્યો છે કે જે પણ વાલીનું ફોર્મ રિજેક્ટ થાય તે માટે ચોક્કસ કારણ આપવાનુ રહેશે.</p> <p>રીજેક્ટ ફોર્મ સામે અન્ય કારણોસર તેવુ લખી શકાશે નહી. ઉપરાંત દરેક ડીઈઓ-ડીપીઓને તાલુકા કક્ષાએ હેલ્પ ડેસ્ક રાખવા તેમજ જીલ્લા કક્ષાએ હેલ્પ સેન્ટર કે હેલ્પલાઈન નંબર શરૂ કરવા પણ આદેશ કરવામા આવ્યો છે.રાજ્યની 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં એખ લાખથી વધુ બેઠકો માટે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થશે.</p>

from gujarat https://ift.tt/3wUPT3R

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...