મુખ્ય સામગ્રી પર જાઓ

કેંદ્ર સરકારનો Twitter સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

<p>નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા દિગ્ગજ ટ્વિટરની વચ્ચે જારી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કેંદ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગુ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કંપની ઝડપથી નવા નિયમ લાગુ કરે નહીં તો કંપનીએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે.&nbsp;</p> <p>ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં આઇટીના ટોચના અધિકારીઓની સાથે ચોથી જૂને થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યું હતું કે ટ્વિટરને નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે છેવટે નોટિસ આપી છે. જો નિયમોનું પાલન નહીં થાય તો આઇટી એક્ટ 2000ની કલમ 79 હેઠળ રાહતને ખતમ કરવામાં આવશે અને ટ્વિટરને આઇટી એક્ટ હેઠળની કાર્યવાહીનો સામનો કરવો પડશે.</p> <p>ટ્વિટર અને વોટ્સએપની પ્રાઈવેસી અને સોશિયલ પોલિસી ભારત અને યૂરોપીય દેશોમાં અલગ-અલગ છે. ભારતમાં એક તરફ આ કંપનીઓ પોતાના બનાવેલા નિયમો જ સર્વોપરિ માને છે. જ્યારે બીજી તરફ યૂરોપીય દેશોમાં સરકારોના હિસાબે પોતાને બદલી નાખે છે. ભારતમાં આ કંપનીઓને ઈન્ટરમીડિટિયરી કંપની તરીકે માન્યતા આપવામાં આવી છે, જે આઈટી એક્ટ 2000ના સેક્શન 79 માં આપવામાં આવી છે.એટલે કે કંપનીઓ અમેરિકામાં રહીને અહીં પોતાના પ્રોડક્ટ પર સેવાઓ આપી શકે છે.</p> <p><strong>ઘણ દેશમાં બેન છે ટ્વિટર</strong></p> <p>હાલમાં જ ટ્વિટરને ઘણા દેશોમાં બંધ કરવામાં આવ્યું છે. નાઈઝીરિયામાં ટ્વિટર પર બેન છે. ત્યાં રાષ્ટ્રપતિના એકાઉન્ટ સાથે છેડછાડ બાદ ટ્વિટરને બંઘ કરી દેવામાં આવ્યું હતું, ધાનામાં પણ આજ કારણોસર ટ્વિટર બંધ કરી દેવામાં આવ્યું છે.</p> <p>આ પહેલાં ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું અને આરએસએસના વડા મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટ અનવેરિફાઇડ કરી દીધા હતા. જોકે બાદમાં ટ્વિટરે બ્લુ ટિક રિસ્ટોર કરી દીધું હતું. ટ્વિટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જુલાઈ, 2020થી &nbsp;એકાઉન્ટ અનએક્ટિવ છે. અમારી વેરિફાઇડ પોલિસીને હિસાબે ટવિટર બ્લુ ટિક અને વેરિફાઇડ સ્ટેટસ દૂર કરી શકે છે.</p>

from india https://ift.tt/2T1jUzK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...