મુખ્ય સામગ્રી પર જાઓ

Veraval : ચાર સંતાનોના પિતાએ 34 વર્ષીય યુવતી સાથે કર્યા નિકાહ, લગ્નના બીજા દિવસે જ થયું એવું કે જાણીને ચોંકી જશો

<p><strong>વેરાવળઃ</strong> ચાર સંતાનોના આઘેડ પિતાને બીજા નિકાહ કરવાનો અભરખો ભારે પડયો છે. લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બનતા બનતા રહી ગયા હતા. &nbsp;નિકાહના બીજા જ દિવસે દુલ્&zwj;હને ઘર ચલાવવાની ના પાડી દાગીના લઇ પરત જઇ રહેલ ત્&zwj;યારે આઘેડે દાગીના પરત લઇ લેતા મામલો પોલીસ સ્&zwj;ટેશને પહોંચ્યો હતો. જયાં સમગ્ર હકકીત સામે આવતા પોલીસે સર્તક કાર્યવાહી હાથ ઘરી ચીટર ગેંગની દુલ્&zwj;હન અને સાથીદારની ઘરપકડ કરી હતી.&nbsp;</p> <p>વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ (ઉ.વ.59)ને ચાર સંતાનો છે. જે પૈકી ત્રણ પરણીત અને એક કુંવારો છે. ઇબ્રાહીમભાઈના પત્&zwj;નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્&zwj;યુ થયેલ હતું. જેથી ઇબ્રાહીમભાઇને બીજા લગ્ન કરવા હોવાથી તેમના એક પરીચીત મારફત અંકલેશ્ર્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયેલ તેઓએ રૂ.40 હજારમાં લગ્&zwj;ન કરાવી આપવાનું નકકી થયેલ હતુ.&nbsp;</p> <p>ચારેક દિવસ પૂર્વે ઇરફાનભાઇએ ફોન કરીને ઇબ્રાહીમભાઇને અંકલેશ્વર બોલાવેલ અને ત્&zwj;યાંથી બંન્&zwj;ને છોકરી જોવા સુરત ગયેલ હતા. જ્યાં શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બંન્&zwj;નેને પસંદ પડેલ હોવાથી નિકાહ કરવાનું નક્કી કરેલ હતુ. આ સમયે નિકાહ કરવા માટે વસ્&zwj;તુ લેવા જણાવતા ઇબ્રાહીમભાઇએ રૂ.35 હજારની સોનાની વીટી તથા રૂ.15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપેલ હતો.&nbsp;</p> <p>બે દિવસ પૂર્વે ત્રણેય સાથે વેરાવળ આવી અત્રે ઇબ્રાહીમભાઇ સાથે શાઇમાબેનના નિકાહ કરાવેલ હતા. જેના બીજા જ દિવસે શાઇમાબેનએ તેમના મોટા બાપુ ગુજરી ગયેલ હોવાનું જણાવી પીયરમાં જવાનું કહી કપડા તથા સોના- ચાંદીના દાગીના પેક કરવા લાગેલ અને આ જ સમયે ઇરફાનભાઇએ પણ બાકીના રૂ.30 હજારની માંગણી ઇબ્રાહીમભાઇ પાસે કરતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાબેનને કહેલ કે આપણે કાલે સાથે જશું તેમ છતાં શાઇમાબેનએ જીદ કરતા તેની પાસેથી ઘરેણા તથા કપડા ઇબ્રાહીમભાઇએ પરત લઇ લેતા શાઇમાબેનએ મારે તારૂ ઘર ચલાવવું નથી તેમ કહી ઘરેથી નીકળી જઇ ઇરફાનભાઇ સાથે પોલીસ ચોકીએ પહોંચી રજુઆત કરી હતી.&nbsp;</p> <p>પોલીસે ઇબ્રાહીમભાઇને બોલાવતા તેઓએ સમગ્ર હકીકત જણાવતા આ મામલે સીટી પીઆઈ ડી.ડી.પરમારએ ત્&zwj;વરીત કાર્યવાહી હાથ ઘરી બંન્&zwj;ને આરોપીઓ (1) ઇરફાન યુસુફભાઇ શેખ (ઉ.વ.44) રહે.અંકલેશ્વર સર્વોદય સોસાયટી આંબોલી રોડ ઘર નં.બી-34, (2) શાઇમાબેન હનીફભાઇ શેખ (ઉ.વ.34) રહે.રાંદેર રામનગર કૃતિકા એપાર્ટમેન્ટ પહેલા માળે સી-1 રૂમ નં.103-સુરત વાળાઓને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.</p> <p>આ મામલે ચાર સંતોનોના પિતા એવા આઘેડ ઇબ્રાહીમભાઇની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી લગ્&zwj;ન કરવા ઇચ્&zwj;છુક યુવકો-પુરુષોને છેતરતી લુટેરી દુલ્હન ચીટર ગેંગને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ લુંટેરી દુલ્હન શાઇમાએ અત્&zwj;યાર સુઘીમાં ત્રણ લગ્નો કરેલા છે. જ્યારે વધુ કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપીંડી કરી છે તે આગળ ની તપાસમાં સામે આવશે. ત્યારે છાસવારે બનતા આવા બનાવોને લઈ પોલીસ દ્વારા પણ અનુરોધ કરાયો છે કે કોઈ પણ લાલચ કે આર્થિક વ્યવહાર કરી લગ્નો કરવા જોઈએ નહીં.</p>

from gujarat https://ift.tt/3gA93Fc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...