મુખ્ય સામગ્રી પર જાઓ

Weather Update: પૂર્વાત્તર ભારત સહિત દેશના આ રાજ્યોમાં થઇ શકે છે, આ સમયે ભારે વરસાદ,. હવામાન વિભાગે શું કરી આગાહી

<p><strong>નવી દિલ્લી:</strong> હવામાન વિભાગે &nbsp;પૂર્વાત્તર ભારત અને અંદમાન નિકોબાર દ્વૂીપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેરળ, સમુદ્રી વિસ્તાર કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વી અને દક્ષિણ મધ્ય પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુના કેટલાક વિસ્તારમાં તેલંગાનામાં હળવાથી મધ્યમ વરસાદના સંકેત આપ્યાં છે.&nbsp;</p> <p>હવામાન વિભાગે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હળવા તથા મધ્યમ વરસાદની આગાહી કરી છે. પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ છૂટછવાયો વરસાદની આગાહી કરે છે.&nbsp;</p> <p><strong>મુંબઇમાં આગામી એક સપ્તાહ વરસાદની આગાહી</strong><br />હવામાન વિભાગે મુંબઇ સહિત રાજ્યના અન્ય વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઇ દુર્ઘટનાની સ્થિતિને નિવારવા માટે પ્રશાસનને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે.&nbsp;<br />મુંબઇના ક્ષેત્રીય હવામાન વિભાગ કેન્દ્ર ( આરએમસી)એ ટવીટ કરીને જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં આવનાર પાંચ દિવસમાં હવામાન બગડવાના સંકેત અપાયા છે અને મધ્યના ઘાટના વિસ્તારમાં 10 જૂનથી ભારે વરસાદની આગાહી છે&rdquo;&nbsp;</p> <p><strong>ગુજરાતમાં વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગ અનુસાર બંગાળી ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જુનના રોજ લો પ્રેશર સર્જાશે. 10 જુનથી અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તે ગતિએ ફુંકાશે. આ સ્થિતિને પગલે નૈઋત્યનું ચોમાસાનું રાજ્યના કેટલાક હિસ્સામાં 11થી 13 જુન વચ્ચે આગમન થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 20 જુનની આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થઈ શકે છે.</p> <p>ગઈકાલે ગુજરાતનાં &nbsp;45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ, ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ, મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ અને ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.</p> <p>ગઈકાલે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાતાવરણમાં અત્યારે આવ્યો પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3g1kDdl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...