મુખ્ય સામગ્રી પર જાઓ

ધો.10, 12ના રિપીટર્સને માસ પ્રમોશનની માગ, ગુજરાત હાઈકોર્ટમાં થઈ અરજી

<p>ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ. આર્ટિકલ 14 મુજબ સમાનતાનો અધિકાર મળવો જોઈએ તેવી અરજદારે રજૂઆત કરી. અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે એક જેવી પરિસ્થિતિના કારણે કાયદો બધા માટે સમાન છે. મહત્વનું છે કે 15 જુલાઈથી ધો.10 અને 12ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ખુદ શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા પણ કહી ચુક્યા છે કે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ નહીં થાય અને નિયમ કાર્યક્રમ પ્રમાણે જ પરીક્ષા લેવાશે.</p> <p><strong>ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીઓને પણ પ્રવેશ</strong></p> <p>આ વર્ષથી ડિગ્રી ઈજનેરીમાં હવે બાયોલોજીના વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે. જો કે સરકારે હાલ મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર સહિતની મુખ્ય બ્રાંચોને બાકાત રાખી છે. આ સિવાયની અન્ય 15 બ્રાંચોમાં ચાલુ વર્ષથી અમલ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે અન્ય મુખ્ય બ્રાંચોમાં આગામી વર્ષથી પ્રવેશ અપાશે. આ ઉપરાંત હવે આ વર્ષે ઈજનેરીમાં પ્રવેશ માટે ગુજકેટનું ભારણ 40 ટકાથી વધારીને 50 ટકા કરી દેવાયું છે. અને બોર્ડના પરિણામનું વેઈટેજ 60 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવાયું છે.</p> <p>ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે એઆઈસીટીઈએ ચાલુ વર્ષથી લાગુ કરાયેલા નવા નિયમોનો રાજ્યામં અમલ કરવો કે નહીં તે મુદ્દે રાજ્ય સરકારે રચેલી 11 સભ્યોની કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ સરકાર તેની ભલામણોને પગલે નવા નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ ચાલુ વર્ષે ડિગ્રી એંજિનિયરિંગમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી સાથે મેથ્સ ઉપરાંત બાયોલોજી અને બાયોટેક્નોલોજી વિષયના થીયરીમાં ગુણ પર આધારિત મેરિટ બનાવી પ્રવેશ અપાશે.</p> <p>જેમાં વિદ્યાર્થીની પ્રવેશ લાયકાત માટે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સાથે અન્ય વિષયો જેવા કે કોમ્પ્યુટર સાયંસ, ઈંફોર્મેશન ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નિકલ વોકેશનલ વિષય સહિતના વિષયોમાંથી કોઈપણ ત્રણ વિષયની પરીક્ષા 45 ટકા સાથે પાસ કરેલ હોવી જોઈએ. પ્રવેશના મેરિટ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી સાથે મેથ્સ કે બાયોલોજી વિષયોની પ્રવેશ પરીક્ષા ધ્યાને લેવાની રહેશે. આમ હવે એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીને પણ ઈજનેરીમાં પ્રવેશ મળશે.</p>

from gujarat https://ift.tt/3wngpBW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...