મુખ્ય સામગ્રી પર જાઓ

મોદી સરકારે માત્ર છ મહિનામાં જ પેટ્રોલ-ડીઝલમાં કેટલા કરોડની કરી કમાણી ? જાણો દેશના કેટલા રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ઘણા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાકાળમાં પેટ્રોલ અને ડીઝલનો વધતો ભાવવધારો લોકોની હાડમારી વધારી રહ્યો છે અને આ ભાવ વધારો હાલ અટકે તેવા કોઈ સંજોગો દેખાતા નથી. દેશમાં શનિવારે વધુ એક પેટ્રોલમાં ૩૫ પૈસા જ્યારે ડીઝલમાં ૨૬ પૈસાનો વધારો થતાં ઈંધણના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. આ વધારાના પગલે ઉત્તર પ્રદેશ, છત્તિસગઢ અને નાગાલેન્ડમાં પણ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. આ સાથે દેશના ૧૭ રાજ્યોમાં પેટ્રોલે જ્યારે ડીઝલે ત્રણ રાજ્યોમાં રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. ઈંધણના ભાવ વધારા મુદ્દે કેન્દ્રની ટીકા કરતાં કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલમાં ૬૯ વખત ભાવ વધારીને રૂ. ૪.૯૧ લાખ કરોડની કમાણી કરી છે.</p> <p><strong>કયા રાજ્યોમાં ભાવ 100ને પાર</strong></p> <p>દેશમાં શનિવારે ઈંધણમાં ભાવવધારા સાથે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા, છત્તિસગઢના કાંકેર, જશપુર અને નારાયણપુર જિલ્લાઓ તથા નાગાલેન્ડના કોહિમામાં પેટ્રોલે રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. આ ત્રણ રાજ્યો સાથે દેશમાં કુલ ૧૭ રાજ્યોમાં પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે, જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કિમ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજસ્થાન, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં ડીઝલ પણ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે.</p> <p><strong>કેટલો વસૂલવામાં આવે છે ટેક્સ</strong></p> <p>દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૧૦૦.૯૧ અને ડીઝલ રૂ. ૮૯.૮૮ થયો છે. દિલ્હીમાં પેટ્રોલના રિટેલ ભાવમાં ૫૫ ટકા હિસ્સો ટેક્સનો છે, જેમાં કેન્દ્ર દ્વારા એક્સાઈઝ સ્વરૂપે પ્રતિ લીટર રૂ. ૩૨.૯૦ અને રાજ્ય સરકાર દ્વારા વેટ સ્વરૂપે રૂ.૨૨.૮૦ વસૂલવામાં આવે છે. એ જ રીતે ડીઝલમાં પણ&nbsp; રૂ. ૩૧.૮૦ એક્સાઈઝ અને રૂ. ૧૩.૪૦ વેટ સ્વરૂપે વસૂલાય છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને રૂ. ૯૭.૬૪ અને ડીઝલનો ભાવ ૨૮ પૈસા વધીને રૂ. ૯૬.૭૨ થયો છે.</p> <p><strong>4 મે પછી પેટ્રોલ 38 વખત, ડીઝલ 36 વખત મોંઘુ થયું</strong></p> <p>મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૧૦ની નજીક પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૯ થયો છે. જોકે, રાજ્યના અન્ય કેટલાક જિલ્લામાં પેટ્રોલ રૂ. ૧૧૦ અને ડીઝલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયા છે તેમ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી વખતે ૧૮ દિવસના વિરામ પછી ૪થી મે પછી અત્યાર સુધીમાં પેટ્રોલમાં ૩૮ વખત અને ડીઝલમાં ૩૬ વખત ભાવ વધ્યા છે. આ સમયમાં પેટ્રોલ રૂ. ૧૦.૫૧ અને ડીઝલ રૂ. ૯.૧૫ મોંઘા થયા છે. કેન્દ્રીય ઓઈલ મંત્રી હરદીપસિંહ પુરીને આ સંદર્ભમાં સવાલ કરવામાં આવતા તેમણે કોઈપણ ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.</p> <p><strong>કેન્દ્ર સરકારને કેટલી થઈ આવક</strong></p> <p>બીજીબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૬૯ વખત વધારો કરાયો છે અને કેન્દ્ર સરકારે રૂ. ૪.૯૧ કરોડની આવક કરી છે.</p>

from india https://ift.tt/3yIlTsq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...