મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રાના આ ગામમાં ઘોડાપુર, 10 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા

<p>રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચારેય તરફ બસ પાણી જ પાણી છે. અહીં રવિવાર દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દસ ઈંચ વરસાદ વરસતા મોટી મારડ ગામના પાંચ તળાવો ઓવરફ્લો થયા છે. મેઈન તળાવ, પંચાયત પાસેનું તળાવ અને મારડીયાના માર્ગ પરનું તળાવ ઓવરફ્લો થયુ છે.</p> <p>તો ધોધમાર વરસાદને લીધે ખેતરો પણ જળબંબાકાર થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું છે. તો પાણીના સ્તર પણ ઉંચા આવ્યા.</p> <p><strong>રાજકોટમાં સાર્વત્રિક વરસાદ</strong></p> <p>આ તરફ રાજકોટ જિલ્લામાં પણ રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લીધે રાજકોટ મોરબી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણીના પ્રવાહની સાથે કેટલાક પશુઓ પણ તણાયા હોવાનો સરપંચે દાવો કર્યો છે. તો ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ ધોવાયા હતા. નદીઓના પાણી પણ ગામમાં ઘુસી જતા લોકોના ઘરવખરીને નુકસાન થયું હતુ.</p> <p>કાગદડી ગામ અને વાડી વિસ્તારમાં તો કેટલાક વીજપોલ પણ ધરાશાયી થતા હતા. તો લોધિકા તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ વરસ્યો. લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદથી ફોફળનદીમાં પાણીની આવક થઈ. જેના કારણે લોધિકાથી કોઠા પીપળીયા અને લોધિકાથી ચાંદલી ગામનો રસ્તો બંધ થયો હતો. લોધિકાના ચીભડા ગામની ભંગડા નદીમાં પણ ઘોડાપુર આવ્યુ.</p> <p>ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પણ ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળમગ્ન થયુ. ફુલઝર ડેમમાં નવા નીરની આવક થઈ. તો ઉપરવાસના બુટાવદર, બગધરા, મેથાણ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. પાણીની સતત આવકના કારણે ફુલઝર-1 ડેમમાં જળપસાટી વધી. જેને લઈને નીચાણવાળા ગોલાણીયા, ખંઢેરા, નાગપુર, વાડીસગ ગામને એલર્ટ કરવામાં આવ્યા. તો સાતવડી ગામના કોઝવે પરથી ત્રણ ફુટ પાણી વહ્યુ. જેના કારણે સાતવડીગામ સંપર્ક વિહોણુ થઈ ગયુ.</p> <p>ધોધમાર વરસાદને કારણે મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાટીયારી, મોટી મેંગણી, નાની મેંગણી સહિતના ગામડાઓમાં પણ છથી સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જેના કારણે મોતીસર ડેમના બે દરવાજા ખોલાયા. ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસતા મોટી વાવડીની ચંદ્રાવતી નદીમાં પુર આવ્યુ. જેના કારણે ગામના અનેક વિસ્તાર પાણી પાણી થયા. આ તરફ ગૌરીદળ, રતનપર, હડાળા, આણંદપર, કોઠારીયા, કોટડા સાંગાણી સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ વરસ્યો. ગામની નદીઓમાં નવા નીર આવ્યા.</p>

from gujarat https://ift.tt/2UKFlX2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...