મુખ્ય સામગ્રી પર જાઓ

મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી 129 લોકોના મોત, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

<p>મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં વરસેલા મૂશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટના અને ભુસ્ખલનથી 129 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો ભારતીય હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક કાંઠા વિસ્તાર કોંકણના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી લગભગ 84 હજાર 452 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. પૂણે અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ભુસ્ખલનથી સતારા પણ ખુબ જ પ્રભાવિત થયું છે.</p> <p>રાયગઢ જિલ્લામાં અલગ અલગ ભુસ્ખલનથી 38 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મેઘતાંડવની વચ્ચે હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. અને આગામી 24 કલાક લોકોને પર્વતીય સ્થળોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.</p> <p>અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 129 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ મૃત્યુ રાયગઢ અને સતારા જિલ્લામાં થઈ છે. એટલુ જ નહી ભુસ્ખલન સિવાય ઘણા લોકો પૂરમાં તણાયા પણ છે.</p> <p>આ તરફ રત્નાગીરી જિલ્લામાં પણ ભુસ્ખલન થયા બાદ 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. એટલુ જ નહી કોલ્હાપુર શહેરની પાસે પંચગંગા નદી 2019માં આવેલ પૂરની સ્થિતિએ વધુ છે. NDRFની અલગ અલગ ટીમો, પોલીસ અને જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.</p> <p>અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય થળ સેના અને નૌસેનાની છ ટીમો શનિવાર સવારથી જ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પુરથી 54 ગામ પ્રભાવિત થયા છે. જ્યારે 821 ગામ આંશિક રૂપથી પ્રભાવિત થયા છે. ફક્ત કોલ્હાપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 40 હજાર 882 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે.</p> <p>તો કોલ્હાપુર જિલ્લામાં પૂરને લીધે 10 રાજ્ય ધોરી માર્ગો સહિત ઓછામાં ઓછા 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે પણ ભુસ્ખલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને પાંચ પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.</p>

from india https://ift.tt/2UCqoXg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...