મુખ્ય સામગ્રી પર જાઓ

આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા, 1497 જગ્યા માટે 2.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

<p>ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal)ની કુલ એક હજાર 497 સિનિયર ક્લાર્કની જગ્યા માટેના હોદ્દા માટે કુલ એક હજાર 105 કેંદ્રો પર બે લાખ 80 હજાર 754 ઉમેદવારો પરીક્ષા આપશે. આજે એટલે કે 31 જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, આણંદ અને સાબરકાંઠાના કુલ એક હજાર 105 સેંટરો પર ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે.</p> <p>ગાંધીનગર જિલ્લાના 82 કેંદ્રો પર 19 હજાર 680 ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદના 311 કેંદ્રો પર 77 હજાર 881 ઉમેદવારો પરીક્ષા આપશે.</p> <p>આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ અસામાજિક તત્વો એકઠાં થઇને પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સિવાય પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.</p> <p><strong>બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા</strong></p> <p>આ વર્ષના અંતે લેવાઈ શકે છે બિન સચિવાલય ક્લાર્ક (<em>Bin Sachivalay</em>&nbsp;Recruitment Exam)ની પરીક્ષા. આ વાત કહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ. મહત્વનું છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં અગાઉ ગેરરીતિ થતાં યુવાનોએ ગાંધીનગરમાં આંદોલન છેડ્યું હતું. જેને લઈ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરી દીધી હતી. એવામાં હવે 9 હજાર કરતાં પણ વધુ જગ્યા પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ શકે છે. વર્ષના અંતમાં નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આ પરિક્ષા લેવાઈ શકે છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા યોજવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે સર્વે શરૂ કર્યો છે.</p>

from gujarat https://ift.tt/3BVvoXP
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...