મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલોના નર્સ સ્ટાફનું માસિક ભથ્થુ 1700 રૂપિયા વધાર્યું, ૧૮૦૦૦થી વધુ નર્સને ફાયદો

<p>અનેક રજૂઆતો અને હડતાળો બાદ અંતે રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી નર્સ સ્ટાફના વિવિધ પ્રકારના એલાઉંસમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. યુનિફોર્મ એલાઉંસ, નર્સિંગ એલાઉંસ, વોશિંગ એલાઉંસમાં સરકારે વધારો કરતા રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેંદ્રમાં ફરજ બજાવતા 18 હજારથી વધુ નર્સિંગ સ્ટાફને માસિક 1700 રૂપિયાનો ફાયદો થશે.</p> <p>રાજ્ય સરકારે મોટા ભાગની માંગણીઓ સ્વીકારી છે. રાજ્યના આરોગ્ય વિભાગે કરેલા ઠરાવ મુજબ રાજ્યા નર્સિંગ સ્ટાફને માસિક 135 ટકાના વધારા સાથે એકંદરે 1700 રૂપિયા એલાઉંસ વધાર્યું છે.&nbsp; આ એલાઉંસ વધારાનો લાભ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેંદ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તથા જિલ્લા પંચાયત હસ્તકની હોસ્પિટલો, દવાખાનામાં ફરજ બજાવતા 18 હજારથી વધુ નર્સિંગ સ્ટાફને મળશે.</p> <p>સરકાર દ્વારા ઠરાવ પસાર કરીને જણાવવામાં આવ્યું છે કે નર્સિંગ કર્મચારીઓને દર મહિને નર્સિંગ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતાં 600 રૂપિયાથી વધારીને 1400 રૂપિયા કર્યા, યુનિફોર્મ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતાં 490 રૂપિયા વધારીને હવે 1100 રૂપિયા કર્યા અને વોશિંગ એલાઉન્સ પેટે ચૂકવવામા આવતાં 210 રૂપિયા વધારીને 500 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p> <p>નર્સિંગ સ્ટાફ દ્વારા બીએસસી નર્સિંગની વિદ્યાર્થિનીઓને અન્ય મેડિકલ સ્ટુડન્ટની જેમ ઈન્ટર્નશિપમાં વધારાની અને સરકારી નર્સિંગ સ્ટાફને અન્ય મેડિકલ સ્ટાફની જેમ ગ્રેડ પેમાં વધારો કરવાની પણ માંગ કરાઈ હતી ત્યારે સરકારે હાલ આ માંગણીઓ બાબતે કોઈ ઠરાવ કર્યો નથી.</p> <p>અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વખતે નર્સિંગ સ્ટાફે રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ નીભાવી હતી પરંતુ જ્યારે તેમને ન્યાય આપવાની વાત કરવામાં આવી એટલે સરકાર પાણીમાં બેસી ગઈ હતી. ભથ્થામાં વધારો કરવાની તેમની માંગના પ્રશ્ર્નને અધ્ધરતાલ જ રાખવામાં આવ્યો હતો જેથી સ્ટાફે હડતાલ પણ પાડી હતી. પ્રથમ વખત હડતાલ પાડ્યા બાદ સરકારનું ધ્યાન તેના ઉપર ગયું નહોતું તેથી બીજી વખત હડતાલ પાડવામાં આવી હતી અને ત્યારપછી સરકારે સફાળી જાગી નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મેરેથોન બેઠક કરી હતી.</p>

from gujarat https://ift.tt/3dz4muK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...