મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં મોટા 207 ડેમમાંથી પાંચ ડેમ પૂર્ણ ક્ષમતા સાથે ભરાયા, નર્મદા ડેમમાં હાલ 46.08 ટકા પાણીનો જથ્થો

<p>રવિવારે રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી રાજ્યના મોટા 207 જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં મોટા 207 જળાશયોમાંથી પાંચ જળાશયો સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાયા છે. તો હાલ રાજ્યના 207 જળાશયોમાં 44.41 ટકા પાણીનો જથ્થો છે.</p> <p>સરદાર સરોવર ડેમમાં હાલ 46.08 ટકા પાણીનો જથ્થો છે. તો ઉત્તર ગુજરાતના 15 મોટા જળાશયોમાં 23.17 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 39.22 ટકા પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 મોટા જળાશયોમાં 50.87 ટકા પાણીનો જથ્થો છે.</p> <p>કચ્છના 20 જળાશયોમાં 24.43 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 પૈકી પાંચ જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જ્યારે 141 જળાશયોમાં 39.84 ટકા પાણીનો જથ્થો છે.</p> <p><strong>રાજકોટના ડેમ ઓવરફ્લો</strong></p> <p>રાજકોટ જિલ્લામાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજકોટ જિલ્લાના 26 જળાશયોની જળસપાટીમાં વધારો થયો છે. જ્યારે રાજકોટ જિલ્લાના આજી-2,મોતીસર અને વેણુ-2 ડેમની જળસપાટીમાં વધારો થયો છે.</p> <p>રાજકોટના જળાશયોમાં વરસાદ પહેલા સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા હતો. વરસાદ બાદ તમામ જળાશયોનો સરેરાશ પાણીનો જથ્થો 36 ટકા થયો.એટલે વરસાદ પડતા જળાશયોમાં સરેરાશ 12 ટકા જેટલું નવું પાણી આવ્યું. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.</p> <p>રાજકોટ જિલ્લાના જો મોટા ડેમ ની વાત કરવામાં આવે તો ભાદર 2 ડેમમાં કુલ સપાટી 51.38 ફૂટ છે. હાલની સ્થિતિ 25.10 ફૂટ થઈ છે. ભાદર 1ની કુલ સપાટી 35.43 ફૂટ છે.હાલની સ્થિતિ 34 ફૂટ જેમાં નવી આવક 0.49 ફૂટ થઈ છે. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે. નવી આવક 11.91 ફૂટ થઈ છે. ન્યારી 2 ડેમમાં કુલ સપાટી 34.45 ફૂટ છે. હાલની સ્થિતિ 20.70ફૂટ છે અને નવી આવક 3.28 ફૂટ થઈ છે.</p> <p><strong>વરસાદ આગાહી</strong></p> <p>રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. જેને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બુધવારથી રાજ્યમાં વરસાદ નું જોર ઘટશે</p>

from gujarat https://ift.tt/3iQHj09

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...