મુખ્ય સામગ્રી પર જાઓ

ખાનગી શાળાઓની માઠી દશા બેઠી, અમરેલી જિલ્લામાં 33 ખાનગી શાળામાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ ન લીધો

<p>કોરોના કાળમાં ખાનગી શાળાઓની માઠી દશા બેઠી છે. અમરેલી જિલ્લામાં 33 ખાનગી પ્રાથમિક શાળામાં આ વર્ષે ધોરણ 1માં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. ખાનગી સ્કૂલોની તગડી ફીના કારણે ખાનગી શાળાઓને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વાલીઓ પોતાના સંતાને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.</p> <p>ધોરણ 2 થી 12ની શાળાઓમાં પણ કઈ આવી જ સ્થિતિ છે. ટૂંકમાં કહીએ તો કોરોનાએ સમગ્ર શિક્ષણક્ષેત્રનું ચિત્ર પલ્ટાવી નાખ્યું છે. અત્યારે વાલીઓ ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળા વધુ પસંદ કરી રહ્યા છે. એનું એકમાત્ર કારણ એ છે કે મોંઘવારી વચ્ચે વાલીઓને શાળાની ફી પરવડતી નથી. જેનું પરિણામ અમરેલી જિલ્લાની 33 ખાનગી પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે.</p> <p><strong>સરકારી શાળાના શિક્ષણક ઘરે જઈને આપે છે શિક્ષણ</strong></p> <p>કોરોના કાળમાં હજુ રાજ્યની પ્રાથમિક શાળાઓ નથી કરાઈ શરૂ. ત્યારે સ્કૂલ બંધ છતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે સરકારી શાળાના શિક્ષકો તકેદારી રાખી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ઘરે જઈ કરાવી રહ્યા છે અભ્યાસ. રાજકોટની રોણકી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના સ્થાને શિક્ષકો વિદ્યાર્થીના ઘરે જઈને કરાવી રહ્યા છે અભ્યાસ.</p> <p>રોણકીની પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ફળિયા શિક્ષણ આપી રહ્યા છે. ગામની શાળામાં 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોએ જુદી- જુદી ટીમો બનાવી છે વિદ્યાર્થીઓના ઘરે જ અભ્યાસ કરાવી રહ્યા છે. એક તરફ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપી રહી હોવાથી વિદ્યાર્થીઓને નાછૂટકે મોંઘા ઈંસ્ટ્રુમેંટ ખરીદવા પડે છે.</p> <p>બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો વાલીઓને એક પણ રૂપિયાનો ખર્ચો કરાવ્યા વગર ફળિયા શિક્ષણ આપી રહ્યા છે. આ ન માત્ર રોણકી પ્રાથમિક શાળામાં પરંતું રાજકોટ જિલ્લાની કુલ 133&nbsp; સરકારી શાળાના શિક્ષકો આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.</p> <p>જિલ્લા શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે ફળિયા શિક્ષણ શરૂ કરાયું છે તેની અસર તાજેતરમાં લેવાયેલી એકમ કસોટી પર જોવા મળી છે. એક તરફ ખાનગી શાળાઓ કોરોનાકાળમા ઓનલાઈન શિક્ષણ આપતી હોવા છતા ફી માટે વાલીઓને દબાણ કરી રહ્યા છે. બીજી તરફ સરકારી શાળાના શિક્ષકો ઘરે જઈ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.</p>

from gujarat https://ift.tt/3BSEaFQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...