મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં પાણીપુરીના 4000 વેપારીઓને ત્યાં દરોડા, જે વસ્તુ મળી તે જોઈને ખાવાનું ભૂલી જશો

<p>એક બાજુ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. તેની સાથે જ રાજ્યમાં પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે. જેને લઈ પ્રશાસન હરકતાં આવ્યું છે અને રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે.</p> <p>ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેચતા 4 હજાર જેટલા વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.</p> <p>એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમ બાદ ફૂડ એંડ ડ્રગ કંટ્રોલ વિભાગ હરકતમાં આવ્યુ છે. અને પાણીપુરીની લારીઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં 4 હજાર જેટલી પાણીપુરીની લારીઓ પર તપાસ કરી.</p> <p>ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 636 સેંપલ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા. તો જે લારી પર મળી આવ્યો અખાદ્ય જથ્થો તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.</p> <p>1500 કિલો બટાટા અને મસાલો, 1335 લીટર પાણી સહિત 90 હજારની કિંમતના જથ્થાનો નાશ કરાયો છે. મહત્વનું છે કે, ABP અસ્મિતાએ હું તો બોલીશ કાર્યક્રમમાં અખાદ્ય પાણીપુરીના વેચાણ પર અહેવાલ દર્શાવ્યો હતો. તે બાદ રાજ્યભરમાં આ કાર્યવાહી કરાઈ છે.</p> <p><strong>અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં</strong></p> <p>ચોમાસામાં મચ્છજન્ય રોગચાળાને નાથવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. મનપાની હેલ્થ વિભાગની ટીમે બુધવારે શહેરમાં અલગ અલગ કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 368 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં 282 જેટલી સાઈટને નોટિસ ફટકારી 6 લાખ 09 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.</p> <p>અલગ અલગ 7 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવમાં આવી હતી. ગોતામાં આવેલી રેનિસનસ હોટલ, થલતેજ ગાલા એમ્પારીયા, રામોલની વિન્ડસર.લિ કંપની, સરખેજની ટોયેટા મોટર્સ, સાબરમતીના અક્ષર 11, કુબેરનગરની રવિ બેકરી સહિતની જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 282 સાઈટ પર મચ્છરોના બ્રિડિંગ મળી આવતા નોટીસ આપી 6 લાખથી વધુનો દંડ ફટકરવામાં આવ્યો હતો.</p>

from gujarat https://ift.tt/2URfJrR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...