મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમાર વરસાદ પડશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

<p>અમદાવાદ: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. વલસાડ નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.</p> <p>હવામાન વિભાગ અનુસાર વલસાડ-નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.</p> <p><strong>રાજ્યમાં જળાશયોની સ્થિતિ</strong></p> <p>વરસાદના અભાવના કારણે રાજ્યમાં વાવતેર ઘટ્યું છે. આ વર્ષે ૧૯ જુલાઇ સુધી અંદાજીત ૫૭.૨૦ લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું. જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૫૭.૩૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ૩ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર સામે ૬૬.૮૭ ટકા વાવેતર થયું છે.</p> <p>તો સરદાર સરોવર ડેમમાં 1.49 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે 44.68 ટકા જેટલો છે. તો રાજ્યના 206 જળાશયોમાં 2.06 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 37 ટકા જેટલો થવા જાય છે. હાલ રાજ્યમાં કુલ 3 ડેમ એલર્ટ પર છે. 6 ડેમ વોર્નિંગ પર છે.</p> <p><strong>રાજ્યમાં ચોમાસાની સામાન્ય શરૂઆત</strong></p> <p>રાજ્યમાં 23 જુલાઈથી સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ હજુ પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. ગયા વર્ષે ૨૦ જુલાઇ સુધી ગુજરાતમાં ૧૧.૮૦ ઈંચ સાથે મોસમનો ૩૬.૦૮ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ આ વર્ષે હજુ સુધી ૮.૧૪ ઈંચ સાથે મોસમનો ૨૪.૬૪ ટકા જ વરસાદ નોંધાયો છે. આમ, ગયા વર્ષની સરખામણીએ હજુ ૧૧.૪૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.</p> <p>તો રાજ્યમાં જૂન મહિનામાં ૪.૭૩ ઈંચ જ્યારે જુલાઇના ૨૦ દિવસમાં ૩.૪૦ ઈંચ વરસાદ નોંધાયેલો છે. રાજ્યમાં&nbsp; વરસાદ નોંધાયો ન હોય તેવો એકપણ તાલુકો નથી. પાંચ તાલુકામાં ૨થી ૪.૯૨, ૮૩ તાલુકામાં ૪.૯૬થી ૯.૮૪ ઈંચ, ૧૦૩&nbsp; તાલુકામાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ, ૪૦ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવો એકપણ તાલુકો નથી. ગયા વર્ષે બે તાલુકામાં ૨૦ જુલાઇ સુધીમાં&nbsp; ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે એવો એકપણ તાલુકો નથી.</p>

from gujarat https://ift.tt/3wTfIk1

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...