'AAPના કાફલાની ગાડીઓ આડેધડ અમારા પર ચડાવી દઈ અમને જાનથી મારી નાંખવાની કોશિશ કરતાં અમે ભાગવા માંડ્યા ને......'
<p><strong>જૂનાગઢઃ</strong> વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવીણ રામ, જયસુખ પાખડાળ, હરેશ સાવલીયા સહીત ૪૦ થી ૫૦ લોકોના ટોળા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સામા પક્ષે 10 શખ્સો સહીત 40 થી 50 ના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. બન્ને પક્ષો સામે આઈપીસી 307 સહિતની ફરિયાદ નોંધાવી છે. </p> <p>ગઈ કાલે થયેલા હુમલામાં આપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વિસાવદરના સતિષભાઈ રમેશચંદ્ર ચાવડાંગરે ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે હિન્દુ સમાજના આગેવાનો ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવા જતાં અમારી ઉપર તલવાર, લોખંડના પાઇપ, લાકડાના ધોકા જેવા હથિયારોથી એકસંપ કરી હુમલો કરી તેમના કાફલાના વાહનો આડેધડ અમારા ઉપર ચડાવી દઈ અમારી હત્યા કરવાના ઇરાદે ચલાવી તેમજ અમને તથા અમારી સાથેના આગેવાનોને શરીરે મૂઢમાર મારી તથા ઇજા કરી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બનાવ બનલે છે. </p> <p><br /><img src="https://ift.tt/3wfss4g" /></p> <p>લેરિયા ગામ ખાતે હુમલા બાબતે તમામ માંગણીઓ સ્વીકારતા સુખદ અંત આવ્યો છે. સામા પક્ષે પ્રવીણભાઈ રામ અને અન્ય ૨ વ્યક્તિઓ ઉપર ફરિયાદ નોધાવામાં આવી છે. સરકારને મારાથી એટલો બધો શું ડર લાગવા મડ્યો કે મારા ઉપર ખોટી ફરિયાદ નોંધાવી પડી, તેમ પ્રવીણ રામે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકાર તપાસ કરાવે અને હું સહકાર આપવા તૈયાર છું. આવી ખોટી 1000 ફરિયાદ કરે તો પણ હું ડરવાનો નથી. ગુજરાતની જનતાના હીત માટે ગોળી ખાવી પડે તો પણ મારી તૈયારી. હું સમગ્ર ઘટનામાં ગાડીથી નીચે ઊતર્યો નથી પરંતુ સરકાર પર પ્રહારો કર્યો એ સરકારને ના ગમ્યું.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3xmgdE0" width="631" height="381" scrolling="no"></iframe></p> <p> </p> <p> </p> <p>આપના નેતા હરેશ સાવલિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ટોળામાં અમુક લોકો પાસે લાકડાના દંડામાં ફીટ કરેલા ઝંડા તથા લાકડાના ધોકા, લોખંડના પાઇપ તથા ખુલ્લી તલવારો જેવા હથિયારો હતા. હું આ અમુક ઇસમોને ઓળકતો હોય જેથી ફોર વ્હીલ નીચે ઉતરી તેમને પુછવા ગયેલ અને વાત કરવા ગયેલ તો આ ટોલમાંથી તમામ જેમ ફાવે તેમ મારી સાથે ગેરવર્તન કરી અમારી વાત સાંભળેલ નહીં અને મારી ઉપર ટોળામાં પૈકીના હિરેન વિક્રમાના હાથમાં લોખંડની પાઇપ હતી તેનો સીધો ઘા મારા માથામાં મારતા લોહી નીકળવા લાગેલ. દરમિયાન બીજો ઘા આ ટોળા પૈકીના જીતેન્દ્ર મહેતાના હાથમાં લાકડાનો ધોકો હતો તેનો ઘા મારા માથામાં મારતા હું પડી ગયલે. </p> <p>તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, આ વખતેટોળના અન્ય ઇસમોએ પણ મારા પર ધોકા અને પાઇપ વડે જાનથી મારી નાંખવાનો હુમલો કરેલ અને મને આડેધડ શરીરે લાકડી, ધોકા, પાઇપ વડે તથા છુટ્ટા પથ્થર વડે આડેધડ મને તથા અમારી સાથે આવેલ તમામ કાર્યકરો ઉપર હુમલો કરેલ તથા આ ટોળું એમ કહેતું હતું કે, ગોપાલભાઈ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી તથા પ્રવીણભાઈ રામને મારી નાંખવા છે, તેવી બૂમો પાડતા હતા. અમારી સાથેની ત્રણથી ચાર ગાડીઓ પર પણ હુમલો કર્યો હતો. </p>
from gujarat https://ift.tt/3AhrU0L
from gujarat https://ift.tt/3AhrU0L
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો