મુખ્ય સામગ્રી પર જાઓ

ત્રણ સપ્તાહ બાદ રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય, આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

<p>રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલુ ચોમાસુ હવે આવતીકાલથી ફરી સક્રિય થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આવતીકાલથી ફરીથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે.</p> <p>આવતીકાલે અમદાવાદ, આણંદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 12 જુલાઈએ નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એ જ રીતે 13 જુલાઈએ આણંદ, સુરત, ભરૂચ, ભાવનગર, વલસાડ, દમણમાં અતિ ભારે, તો દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.</p> <p><strong>ગુજરાતમાં વરસાદ</strong></p> <p>આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ફાળદંગ, ડેરોઈ અને રફાળા સહિતના ગામડાઓમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. કોટડાસાંગાણી તાલુકાના સાંગણવા, મેંગણી, નાની મેંગણી, રીબ અને હડમતાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 20 દિવસ બાદ વરસાદ પડતાં ખેડૂતો અને માલધારીઓએ આશા ફરી બંધાઈ છે. કારણ કે આ વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.</p> <p>અમરેલી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર તથા આસપાસના નાના ભંડારીયા, વિઠ્ઠલપુર ખંભાળિયા, ફતેપુર, લીલીયા&nbsp; સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિઠ્ઠલપુરમાં તો ભારે વરસાદના પગલે ગામની બજારોમાં નદીની જેમ પાણી વહ્યા છે.</p> <p>અમરેલીના નાના ભંડારીયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે નેરોમાં ભારે પાણીની આવક થઈ. નેરાઓના પાણી ગામના પાદરમાં ફરી વળતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું.. તો વડેરા અને અમરેલી રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાજુલા તથા આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું. વીજળીના કડાકા સાથે રાજુલા તથા વિકટર, પીપાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.</p> <p>ધોધમાર વરસાદના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાઉતે વાવાઝોડા સમયે વરસેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણી તો કરી નાંખી હતી.. હવે ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત હતી. સમયસર વરસાદ વરસી જતા ખેડૂતોના પાકને ફાયદો થશે.</p>

from gujarat https://ift.tt/3hO6BLW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...