મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં રથયાત્રા બાદ જ વરસાદની શક્યતા, રાજ્યના આ શહેરમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો

<p>અમદાવાદમાં હવે રથયાત્રા બાદ જ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૧૦ જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં ગુરુવારે ૩૭.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ રહેશે અને હજુ વધુ બફારાનો અનુભવ થઇ શકે છે.</p> <p>આ સાથે અમદાવાદમાં હજુ ૧૦ જુલાઇ સુધી વરસાદની&nbsp; સંભાવના નથી. હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં ૧૨ જુલાઇ બાદ જ વરસાદનું પ્રભુત્વ વધી શકે છે. અમદાવાદમાં ગયા વર્ષે જુલાઇમાં ૭.૩૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતમાં જ સામાન્ય વરસાદની સંભાવના છે.</p> <p><strong>સુરતમાં વરસાદે રેકોર્ડ તોડ્યો</strong></p> <p>સુરત જિલ્લામાં મેઘરાજાની રાબેતા મુજબ શરૂઆત થયા બાદ આ વર્ષે આખા જુન મહિનામાં કુલ 308 મિ.મિ અને સીઝનનો સરેરાશ 21.44 ટકા વરસાદ વરસી ચૂકયો છે. આ વરસાદે છેલ્લા પાંચ વર્ષના વરસાદનો રેકોર્ડ તોડયો છે. સુરત શહેર અને જિલ્લામાં આ અઠવાડિયે વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ ચોમાસાની શરૂઆત વિધિવત થયા બાદ આખા જુન મહિનામાં ધીમે ધીમે વરસાદ વરસતો રહ્યો છે.</p> <p>આખા જુન મહિનામાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 12 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 16.56 ઇંચ અને સૌથી ઓછો માંડવી તાલુકામાં 7.08 ઇંચ નોંધાયો હતો. જયારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમના કુલ વરસાદના 100 ટકામાંથી 21.44 ટકા વરસાદ વરસી ચૂકયો છે. આ વરસાદની સાથે જ છેલ્લા પાંચ વર્ષના ફકત જુન મહિનામાં નોંધાયેલા વરસાદના આંકડાનો રેકોર્ડ તોડતો વરસાદ આ વર્ષે નોંધાયો છે. આમ આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની શક્યતા છે.</p> <p>સામાન્ય રીતે દર વર્ષે સુરત જિલ્લામાં ચોમાસાની શરૃઆત થવાની સાથે જ સૌથી વધુ વરસાદમાં ઉમરપાડા તાલુકો જ અગ્રેસર રહે છે. ઘણા વર્ષો પછી પ્રથમ વખત એવુ બન્યુ છે કે સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં જુન -2021 માં જે&nbsp; વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 414 મિ.મિ (16.56 ઇંચ) વરસ્યો છે. આમ એકબાજુ જંગલોથી ભરપૂર ઉમરપાડા તાલુકો અને બીજી બાજુ કોંક્રીટના જંગલોથી ભરપૂર સુરત શહેર. આ બન્નેમાં ઉમરપાડા માં જ&nbsp; વધુ વરસાદ વરસે છે. પરંતુ આ વર્ષે જુન મહિનાના વરસાદના પ્રારંભમાં ઉમરપાડા તાલુકામાં 355 મિ.મિ (14.2 ઇંચ) અને સુરત શહેરમાં 414 મિ.મિ (16.56 ઇંચ) વરસાદ નોંધાયો છે. આને કુદરતીની મહેર જ કહી શકાય.</p>

from gujarat https://ift.tt/2Tt4JzV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...