મુખ્ય સામગ્રી પર જાઓ

ગીર-સોમનાથઃ મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો, જાણો શું છે કારણ

<p>ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં અંદાજે એક લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. જેનું પાછળનું કારણ તૌકતે વાવાઝોડું મુખ્ય માનવામાં આવે છે. ગીરનો મુખ્ય પાક મગફળી છે. પરંતુ આ વર્ષે માત્ર 25 ટકા જ મગફળીનું વાવેતર થયું છે. તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના પાક તો તબાહ થયા જ છે. પરંતુ વીજળી વ્યવસ્થા પણ સંપૂર્ણ ખોરવાઈ છે. ઉના અને ગીર ગઢડાના ખેતીવાડી વિસ્તારોમાં હજુ વીજપુરવઠો ઠપ્પ છે. જેના કારણે આગોતરું મગફળીનું વાવેતર અટકી ગયું છે.</p> <p>સાથે ખેડૂતોને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વીજળી નથી અને બીજી તરફ ગીરમાં વાવણીલાયક વરસાદ ન પડ્યો હોવાના કારણે વાવણી થઈ શકી નથી. ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.</p> <p>અનેક ખેડૂતો એવા છે જેની પાસે મગફળીનું બિયારણ લેવાના પણ પૈસા નથી. સાથે વાવાઝોડાના નુકસાનથી જમીન જ વાવણીલાયક બની શકી નથી. હજુ પણ ગીરના ઉના અને ગીર ગઢડામા વાડી વિસ્તારો સંપૂર્ણ વીજળી વિનાના છે. ખેડૂતોના ખેતરોમા આજે પણ વીજ પોલ અને ટાંર્સફોર્મરો જમીન દોસ્ત થયેલા નજરે પડે છે. એવામાં સવાલ એ છે કે આખરે ખેડૂતોને વીજળી ક્યારે મળશે ?</p> <p><strong>વરસાદ માટે જોવી પડશે રાહ</strong></p> <p>સારા વરસાદની ખેડૂતોએ હજુ પણ જોવી પડશે. હવામાન વિભાગના મતે સારા વરસાદ માટે હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત. જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમાં પણ જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગનું છે.</p> <p>હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ચાર અને પાંચ તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે.</p>

from gujarat https://ift.tt/2USobGH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...