મુખ્ય સામગ્રી પર જાઓ

ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખથી મનમૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

<p>રાજ્યમાં ત્રણ દિવસ બાદ મેઘરાજા મનમૂકીને વરસશે. ખેડૂતોને રાહત આપતી આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર 11 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. કેમ કે, 11 તારીખથી બંગાળની ખાડીમાં સર્જાશે લૉ પ્રેશરની સિસ્ટમ. જેની અસરથી ગુજરાતમાં થશે મેઘમહેર થશે.</p> <p>હવામાન વિભાગના મતે 11 થી 13 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. તો 12 અને 13 જુલાઈના સૌરાષ્ટ્રમાં વરસશે વરસાદ. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ વરસવાનું અનુમાન છે.</p> <p>જોકે આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને જોતાં રાજકોટના કલેક્ટર દ્વારા 7થી 8 વિભાગોની બેઠક યોજવામાં આવી હતી.</p> <p>જિલ્લા કલેક્ટર અરૂણ બાબુએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં હયાત પાણીના જથ્થાની વિગતો મંગાવી, ટેન્કર દોડવવા તેમજ સિંચાઈ માટે આગોતરી વ્યવસ્થા કરવા સહિતના પગલાંનું આયોજન થયું હતું.</p> <p><strong>આણંદમાં વરસાદ</strong></p> <p>સામાન્ય રીતે ચરોતર પંથકમાં ૧૫ જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે લગભગ એક સપ્તાહ જેટલું વહેલા નૈઋત્યનું ચોમાસું શરૂ થયું હતું. તા.૪ જૂનના રોજ આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને શરૂઆતમાં જ ધબધબાટી બોલાવતા આણંદ તાલુકામાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હ તો. આ ઉપરાંત જિલ્લાના ખંભાત, તારાપુર પંથકમાં પણ ચારથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ પાંચેક દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.</p> <p>૪ જૂનના રોજથી આણંદ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. જેમાં તા.૨૯ જૂન સુધીમાં જિલ્લાના આણંદ તાલુકામાં કુલ ૪૬૮ મી.મી. વરસાદ સાથે સિઝનનો ૫૫.૭૧ ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સોજિત્રા તાલુકામાં ૨૧૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૧૬૯ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૬૪ મી.મી., આંકલાવ તાલુકામાં ૧૬૭ મી.મી., બોરસદ તાલુકામાં ૧૬૯ મી.મી., ખંભાત તાલુકામાં ૨૨૮ મી.મી. અને તારાપુર તાલુકામાં ૧૩૯ મી.મી. વરસાદ નોંધાયો છે. ગત તા.૨૮મીના રોજ આણંદ તાલુકામાં ૩ ઈંચ, સોજિત્રા તાલુકામાં અઢી ઈંચ અને ઉમરેઠ તથા પેટલાદ તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા.</p>

from gujarat https://ift.tt/2Uxdo4N
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...