મુખ્ય સામગ્રી પર જાઓ

કેવડિયા ખાતે ઇલેક્ટ્રીક કાર ચાર્જિંગ સ્ટેશન શરૂ, જાણો કાર ફુલ ચાર્જ થતાં કેટલો સમય લાગશે

<p>ગુજરાતમાં ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર થઇ ગયું છે તૈયાર. નર્મદાના કેવડિયામાં પ્રથમ ઇ કાર માટેનું ચાર્જીંગ સેન્ટર ટાટા કંપની તરફથી બનાવવામાં આવ્યું છે. જ્યાં હવે ઇ કાર, ઇ રિક્ષાઓ સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ થઈ શકશે. તો આગામી દિવસોમાં તમામ પ્રવાસન સ્પોટ ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે ત્યારે કેવડિયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-કાર સિટી બનાવવાનો માર્ગ સરળ થઇ ગયો છે.</p> <p>આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાકનો સમય લાગશે. જયારે આ ચાર્જિંગ નું પેમેન્ટ કેસલેશ હશે. વાહન ચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે. જેમાંથી જ પેમેન્ટ ઓનલાઈન થઈ જશે. જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ કપાઈ જશે.</p> <p>આગામી દિવસમાં સરકાર તરફથી વધુ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવાનું આયોજન છે. મહત્વનું છે કે, ગત છ જૂને પ્રધાન મંત્રીએ ઇ કાર સિટીની જાહેરાત કરી હતી. કેવડિયામાં હવે બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા ઇ કારમાં લઇ જવાશે.</p> <p>પેટ્રોલ પૂરવામાં આવે એવું જ ઈ વેહિકલ ચાર્જ કરવાનું સ્ટેશન રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ સામે ઉભું કરાયું છે. ટાટા કંપની દ્વારા શરૂ કરાયેલા આ ઈ-કાર સ્ટેશનમાં એક જગ્યાએથી એક સાથે બે કારને ચાર્જ કરવામાં આવે છે. ઈ-કાર ચારજિંગનું ટેંસ્ટિંગ કરવામાં આવ્યું હતું.</p> <p>અંદાજિત બે કલાકમાં 100% ચાર્જ થયેલી ઇલેક્ટ્રિક કાર અંદાજિત 300 કિલોમીટર સુધી ચાલી શકે છે, અને તેનું પેમેન્ટ કેસ લેશ એટલે કે ઓનલાઈન એપ દ્વારા ગ્રાહકોએ ચૂકવવાનું રહેશે.</p> <p>આગામી દિવસોમાં આવા ચારજિંગ સ્ટેશન નવા ઊભા કરવામાં આવશે.હાલમાં કેવડીયા ખાતે ઇ-બસ, ઇ-સ્કૂટર, ઇ-રીક્ષા પણ લાવવામાં આવશે અને જેનું પાર્કીંગ પણ બની રહ્યું છે.આ સુવિધા શરૂ થયા પછી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઈ-વેહિકલમાં લઈ જવામાં આવશે.</p>

from gujarat https://ift.tt/3yF9UvS
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...