મુખ્ય સામગ્રી પર જાઓ

શું ખરેખર ઓક્સિજન ન મળવાને કારણે કોઈનું મોત નથી થયું ? ‘ડોક્યુમેન્ટની રમતમાં’ જીવની કિંમત ભૂલી ગઈ સરકારો

<p><strong>નવી દિલ્હીઃ</strong> કોરોનાની બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે તમને દર્દીઓની લાચારીની તસવીરો તમે જોઈ હશે. અનેક લોકોના મોત એટલા માટે થયા કારણ કે તેમને સમયસર મેડિકલ ઓક્સિજન ન મળ્યા. પરંતુ કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલ લેખિત જવાબમાં કહ્યું કે, ઓક્સિજનને કારણે કોઈના પણ જીવ નથી ગયા. આ દાવો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તરફથી મળેલા આંકડાને ટાંકીને કર્યો છે.</p> <p>ઓક્સિજન, ઓક્સિજન અને માત્ર ઓક્સિજન...મંગળવારે જ્યારે રાજ્યસભામાં સાંસદોએ સંક્રમણ પર ચર્ચા શરૂ કરી તો ગૃહમાં માત્ર એક જ શબ્દ સાંભળવા મળ્યો. જે દુઃખ આખા દેશે અનુભવ્યું, તેણે મંગળવારે સાંસદોને પણ હચમચાવી દીધા.</p> <p>ગંગામાં વહેતી લાશોનો ઉલ્લેખ કરતાં ચર્ચા મલ્લિકાર્જુન ખડગેએ શરૂ કરી અને છેલ્લે તૂટતા શ્વાસ સુધી જઈને પહોંચી. ખડગેના નિશાને ભલે સરકાર રહી હોય પરંતુ સત્ય એ છે કે અનેક લોકોના જીવ ઓક્સિજન ન મળવાને કારણે ગયા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સરકારે એ માનવાની જ ના પાડી દીધી.</p> <p>રાજ્યસભામાં સરાકરને સવાલ પૂછવામાં આવ્યું હતો કે ઓક્સિજનની અછતને કારણે કેટલા લોકોના મોત થયા ? જેના જવાબમાં સરકારે કહ્યું કે, ઓક્સિજનની અછતને કારણે એક પણ મોત નથી થયું.</p> <p>જો તમને લાગે છે કે ઓક્સિજનની અછતને કારણે કોઈનો પણ જીવ નથી ગયો તેવું સરકારનું નિવેદન બેજવાબદાર છે તો થોભો. એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન જરૂર જાણો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.</p> <p>આ જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સ્વાસ્થ્ય વ્યવસ્થા રાજ્યોના અધિકાર ક્ષેત્રનો મુદ્દો છે. રાજ્યોએ કેન્દ્રને મોકેલલે રિપોર્ટમાં ઓક્સિજનની અછતને કારણે લોકોના મોતનો ઉલ્લેખ નથી. મતલબ કે વિપક્ષના સવાલોની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળી દીધી. સવાલ એ પણ છે કે રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયોલ મોતના આંકડા કેન્દ્રને કેમ ન મોકલ્યા ?</p>

from india https://ift.tt/3hQpuyW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...