મુખ્ય સામગ્રી પર જાઓ

સમગ્ર ગુજરાતમાં આજે રસીકરણ કામગીરી બંધ, જાણો શું છે કારણ

<p>રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાનો રિક્વરી રેટ પણ વધ્યો છે. ત્યારે આજે રાજ્યભરમાં એક દિવસ કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. મમતા દિવસને લીધે કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે આવતીકાલથી ફરીથી વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ કરવામાં આવશે.</p> <p>આજે મમતા દિવસ અને અન્ય રસીકરણના કાર્યક્રમોને લીધે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. આ સાથે જ વેક્સિનનો સ્ટોક પૂરતો ન હોવાને લીધે આજે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. જો કે દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી નથી. રાજ્યમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બે લાખ 17 હજાર 786 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં બે કરોડ 73 લાખ 25 હજાર 191 નાગરિકોને રસી આપવામાં આવી છે.</p> <p><strong>ગુજરાતમાં કોરોના કેસ</strong></p> <p>નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે કોરોના (Gujarat Corona Cases) ના 69&nbsp; કેસ નોંધાયા છે જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં ગઈકાલે 208&nbsp; લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.&nbsp; હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2193 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે.</p> <p>રાજ્યમાં એક દિવસમાં 208&nbsp; દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,699 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.51 ટકા છે. અત્યાર સુધીમાં 2,73,25,191 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. ગઈકાલે કુલ 2,17,786 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.&nbsp; ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.</p> <p>જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 296 ને પ્રથમ જ્યારે 6945 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 37719 લોકોને પ્રથમ 56654 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 109515 લોકોને રસીનો પ્રથમ અને 6657 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,17,786 લોકોને રસી અપાઇ હતી. જ્યારે અથ્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,73,25,191 લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.</p> <p>કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10072 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.51 ટકા છે.</p>

from gujarat https://ift.tt/3jQtzVa

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...