મુખ્ય સામગ્રી પર જાઓ

આગામી ત્રણ દિવસમાં ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

<p>રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના અનેક તાલુકામાં ગઈકાલે સાર્વત્રિક 1થી 7 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.</p> <p>હવામાન વિભાગના મતે આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, દીવ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, ડાંગ, કચ્છ વરસાદ પડી શકે છે.</p> <p>આવતીકાલે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.</p> <p>શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 6.13 ઈંચ સાથે સીઝનનો 18.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે 13 જુલાઇ સુધી 10.37 ઈંચ સાથે સીઝનનો 31.70 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.</p> <p><strong>ગીર-સોમનાથમાં વરસાદ</strong></p> <p>ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેર થયું જળમગ્ન. ગઈકાલે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. યાત્રાધામ સોમનાથમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ સોમનાથના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સોમનાથ મંદિરની નજીક આવેલા શોપિંગ સેંટરમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ પરેશાન થયા હતા. ગીર સોમનાથમાં સારો વરસાદ વરસતા નદીઓમાં આવ્યા પૂર તો ચેકડેમ છલકાયા છે.</p> <p><strong>અમરેલીમાં વરસાદ</strong></p> <p>અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. લાઠી, બાબરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ નોંધાયો છે. બાબરા શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ બજારોમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.</p> <p>બાબરાની સાથે લુણકી, ઈંગોરાળા, ભીલડી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. તો આ તરફ લાઠીના અકાળા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. તો ગામમાં પણ પાણી ભરાયા છે.</p> <p>સાથે જ સાવરકુંડલાના ચરખડિયા ગામમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ખારી નદીમાં પુર આવ્યું છે. નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. ચરખડિયા ગામના મેદાનમાં પણ પાણી ભરાયા છે. તો લાઠીના લુવારીયા અને ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મગફળી, કપાસ, અડદ, તલ સહિતના પાકને ફાયદો થશે.</p>

from gujarat https://ift.tt/3kctviU
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...