મુખ્ય સામગ્રી પર જાઓ

હિમાચલમાં આભ ફાટ્યું, કાશઅમીર અને ઉત્તરાખંડમાં મેઘતાંડવ, જનજીવન અસ્તવ્યસ્ત

<p>દેશમાં ચોમાસુ સક્રિય થતા જ ઉત્તર ભારતમાં વરસાદી તાંડવ શરૂ થયો છે. હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શિમલા, કુલ્લુ, મનાલી, કાશ્મીરનો ખીણ પ્રદેશ, બદ્રીનાથ જેવા વિસ્તારોમાં નદીઓના જળસ્તર વધ્યા છે. તો કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થતા અનેક હાઈવેને જોડતા રસ્તાઓ બંધ થયા છે.</p> <p>લેહ-મનાલી, ઔટ-લહૂરી-રામપુર હાઈવે અને શિમલા-કિન્નોર હાઈવે લેંડ સ્લાઈડને કારણે બંધ થયો છે. શિમલામાં ઝાકરી અને રામપુરથી પસાર થતો નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે. કુલ્લુમાં શિમલાને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે. તે ઉપરાંત પ્રવાસોના વાહનો, જીવનજરૂરીયાતની વસ્તુઓ લાવતા વાહનો અને નગર નિગમની બસો પણ ફસાઈ ગઈ છે. હાઈવે પર હજારો ગાડીઓનો ચક્કાજામ થયેલો છે. ધોધમાર વરસાદને લીધે બિયાર, પાર્વતી, સરવરી ખડ્ડ જેવી નદીઓ તોફાની બની છે.</p> <p>એટલુ જ નહી હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પ્રવાસે ગયેલા હજારો પ્રવાસીઓ ધોધમાર વરસાદ વરસતા ફસાયા છે. રવિવારે હિમાચલ અને કાશ્મીરમાં આભ ભાટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હિમાચલના ધર્મશાલા અને કાશ્મીરમાં આભ ફાટવાની ઘટના બાદ નદીઓના જળસ્તરમાં વ્યાપક વધારો થયો છે.</p> <p>કુલ્લુની સરવરી નદી ઉછાળા મારી રહી છે. બંન્ને રાજ્ય સરકારોએ તાકીદે મોટી નદીઓના કિનારે આવેલા ગામોને ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. નદીઓનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયું છે. હિમાચલ પ્રદેશમાં સ્થિતિ વધુ વણસેલી છે. આ સ્થિતિને જોતા પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે પણ રાજ્યના અધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવ્યા છે. અને જરૂરી તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.</p> <p><strong>ગુજરાતમાં વરસાદની આગાહી</strong></p> <p>રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.</p> <p>આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.</p> <p>જ્યારે ગુરુવારે&nbsp; પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે&nbsp; વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી ૫.૮૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૭.૭૦ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. રાજ્યના ૩૬ તાલુકા એવા છે જ્યાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.</p>

from india https://ift.tt/3wvkFiM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...