મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના ક્યા રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં લદાયું બે દિવસનું લોકડાઉન, બકરી ઈદની છૂટ ભારે પડ્યાના આક્ષેપ

<p>દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.</p> <p>કેરળમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 22,000થી નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે કોરોનાના 22064 નવા કેસ સામે આવ્યા અને 128 લોકના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33 લાખ 49 હજાર 365 અને મૃતકોની સંખ્યા વધીને 16,585 થઈ ગઈ ચે. છેલ્લા 24 કલાકમાં 1,63,098 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને પોઝિટિવીટી રેટ 13.53 ટકા નોંધઆયો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,96,792 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેરળમાં બકરી-ઈદની રજામાં રાજ્ય સરકારે આપેલી છૂટને પગલે કોરોનાના કેસમાં અચાનક ઊછાળો આવ્યો હતો.</p> <p>કેરળમાં હાલમાં 154280 દર્દીની સારવાર ચાલી રહી છે એટલે અને અત્યાર એટલે કે આટલા એક્ટિવ કેસ હજુ પણ રાજ્યમાં છે.</p> <p>જણાવીએ કે કેરળમાં બુધવારે કોરોનાના 22056 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 131 દર્દીના મોત થયા હતા. જ્યારે રાજ્યમાં સોમવારે 11586 અને મંગળવારે 22129 નવા કેસ આવ્યા હતા.</p> <p>સંશોધકોએ જણાવ્યું હતું કે કેરળમાં આર-ફેક્ટરની વૃદ્ધિના કારણે&nbsp; કોરોનાના કેસમાં વધારો થયો છે. આર-ફેક્ટર દેશમાં કોરોનાના કેસના પ્રસારમાં થયેલા વધારાના સંકેત આપે છે. કેરળ ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ આર-ફેક્ટરમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.</p> <p>દેશમાં કેરળ એક એવું રાજ્ય છે જ્યાં હાલમાં સૌથી વધારે નવા કેસ આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યમાં ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થઅય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, &ldquo;કેન્દ્ર સરકાર એનસીડીસી ડાયરેક્ટરની આગેવાનીમાં છ સભ્યોની ટીમ કેરળ મોકલી રહી છે. કેરળમાં કોરોનાના કેસ હજુ પણ વધારે સામે આવી રહ્યા છે જેના કારણે ટીમ કોવિડ મેનેજમેન્ટમાં રાજ્યને મદદ કરશે.&rdquo;</p> <p>મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટીમ રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે નજીકથી કામ કરશે, જમીની સ્થિતિનો તાગ મેળવશે.</p> <p>ડરાવનારી બાબત એ છે કે દેશના કુલ કોરોના કેસમાંથી ૫૦%થી ઉપર કેસો એકલા કેરળમાંથી છે. આરોગ્ય મંત્રાલય એવુ કહે છે કે અહીં કેસો વધવા પાછળના ખાસ કારણોમાં ૬૬% વસ્તી કોરોના સંક્રમણના ઘેરાવામાં આવી ગઈ છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સ્ટ્રેટજી ઉપર ઓછુ ધ્યાન આપવુ અને ઈદના તહેવારો ઉપર છૂટ એ મુખ્ય કારણો છે.</p>

from india https://ift.tt/2Vm4aJ2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

<p>ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.&nbsp;</p> <p><strong>અમેરિકા પહેલા નંબરેઃ</strong><br />ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને &nbsp;વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયા કયા નંબર પર?</strong><br />અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...