<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં 43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા.</p> <p><strong>54 દિવસ બાદ અટક્યો આ ક્રમ</strong></p> <p>આજે કેસ કરતાં રિકવર થયેલા દર્દીની સંખ્યા ઘટી હતી. આ પહેલા દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ હતી. 7 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 48 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 93 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.</p> <table style="height: 322px;" width="240"> <tbody> <tr> <td style="width: 225.2px;" colspan="3"><strong>કઈ તારીખે કેટલા કેસ નોંધાયા</strong></td> </tr> <tr> <td style="width: 76.9875px;"><strong>તારીખ</strong></td> <td style="width: 68.5375px;"><strong>કેસ </strong></td> <td style="width: 52.075px;"><strong>મોત</strong></td> </tr> <tr> <td style="width: 76.9875px;">1 જુલાઈ</td> <td style="width: 68.5375px;">48,786</td> <td style="width: 52.075px;">1005</td> </tr> <tr> <td style="width: 76.9875px;">2 જુલાઈ</td> <td style="width: 68.5375px;">46,617</td> <td style="width: 52.075px;">853</td> </tr> <tr> <td style="width: 76.9875px;">3 જુલાઈ</td> <td style="width: 68.5375px;">44,111</td> <td style="width: 52.075px;">738</td> </tr> <tr> <td style="width: 76.9875px;">4 જુલાઈ</td> <td style="width: 68.5375px;">43,071</td> <td style="width: 52.075px;">955</td> </tr> <tr> <td style="width: 76.9875px;">5 જુલાઈ</td> <td style="width: 68.5375px;">39,796</td> <td style="width: 52.075px;">723</td> </tr> <tr> <td style="width: 76.9875px;">6 જુલાઈ</td> <td style="width: 68.5375px;">34,703</td> <td style="width: 52.075px;">553</td> </tr> <tr> <td style="width: 76.9875px;">7 જુલાઈ</td> <td style="width: 68.5375px;">43,773</td> <td style="width: 52.075px;">930</td> </tr> </tbody> </table> <p><strong>દેશમાં કોરોના વાયરસની સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 9 હજાર 557</li> <li>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 98 લાખ 43 હજાર 825</li> <li>કુલ એક્ટિવ કેસ - 4 લાખ 05 હજાર 704</li> <li>કુલ મોત - 4 લાખ 5 હજાર 028</li> </ul> <p><strong>કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે</strong></p> <p>દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.92 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p> <p><strong>દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર</strong></p> <p>કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India reports 45,892 new <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&ref_src=twsrc%5Etfw">#COVID19</a> cases, 44,291 recoveries, and 817 deaths in the last 24 hours, as per Health Ministry<br /><br />Total cases: 3,07,09,557<br />Total recoveries: 2,98,43,825 <br />Active cases: 4,60,704<br />Death toll: 4,05,028<br /><br />Total vaccinated: 36,48,47,549 (33,81,671 in last 24 hrs) <a href="https://t.co/KFEi9MClz4">pic.twitter.com/KFEi9MClz4</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1412981347405074432?ref_src=twsrc%5Etfw">July 8, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારમાં બીજી લહેર હજુ પણ મર્યાદીત સ્વરૂપે હાજર છે. હિલ સ્ટેશનો પર ફરવા જતાં લોકો કોવિડ ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. જો પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો અમે પ્રતિબંધોમાં આપેલી ઢીલ ફરીથી રદ્દ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમણે એમ પણ કહ્યું કે, દેશના 90 જિલ્લામાં 80 ટકાથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં એકટિવ કેસની સંખ્યા 5 લાખથી નીચે આવી ગઈ છે. હજુ એવા અનેક જિલ્લા છે જ્યાં સંક્રમણ દર 10 ટકા છે. અહીંયા કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. આ જિલ્લામાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂ છે. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.</p>
from india https://ift.tt/2TCV2iJ
via IFTTT
from india https://ift.tt/2TCV2iJ
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો