મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus: રસીકરણમાં ઝડપ લાવો નહીં તો જીવલેણ સાબિત થશે ડેલ્ટા વેરિઅન્ટ, જાણો કોણે આપી ચેતવણી

<p>WHOએ વિશ્વના દેશોને સાવચેત કર્યા છે કે જો રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવામાં નહીં આવે તો કોરોનાના નવા નવા વેરિઅન્ટ હાલના કોરોના કરતાં વધારે જીવલેણ સાબિત થઈ શકે છે. WHOએ કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટ આપણ માટે ચેતવણી છે કે આપણા જો ઝડપથી તેને દબાવી નહીં દઈએ તો સ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે. WHOએ કહ્યું કે, સ્થિતિ વધારે બગડે તે પહેલા રસીકરણ અભિયાન પર ભાર મુકવો પડશે. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટના ખતરનાક પરિણાને જોતા તેના પર નિયંત્રણ મેળવવા માટે તાત્કાલીક કાર્રવાઈ કરવી જરૂરી છે. WHOએ અપીલ કરી છે કે સપ્ટેમ્બરના અંત સુધી દમામ દેશો ઓછામાં ઓછા 10 ટકા જનસંખ્યાને રસીકરણ કરી દે.</p> <p><strong>132 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ</strong></p> <p>ઝડપથી ફેલાઈ રહેલ ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી 132 દેશમાં જોવા મળ્યો છે. WHOના ઇમરજન્સી ડાયરેક્ટર માઈકેલ રેયાન ( Michael Ryan) એ કહ્યું કે, ડેલ્ટા આપણ માટે ચેતવણી છે. આ ચેતવણી છે કે આપણે સચેત થઈ જઈ. તે વધારે ખતરનાક સાબિત થાય તે પહેલા જ તેને દબાવી દેવો જરૂરી છે. WHO પ્રમુખ Tedros Adhanom Ghebreyesusએ કહ્યું કે, અત્યાર સુધી ચાર વેરિઅન્ટને લઈને ચિંતા છે અને જ્યાં સુધી કોરોના વાયરસ ફેલાતો રહેશે ત્યાં સુધી વધુને વધુ વેરિઅન્ટ સામે આવશે. ટેડરોસે કહ્યું કે, વિતેલા ચાર સપ્તાહમાં WHOને 6 વિસ્તારમાંથી પાંચમાં સરેરાશ 80 ટકાના દરે કોરોના વધી રહ્યો છે.</p> <p><strong>સુરક્ષાત્મક ઉપાય હજુ પણ જરૂરી</strong></p> <p>ડેલ્ટા વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરતાં ટેડરોસે કહ્યું, સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે હજુ પણ સુરક્ષાત્મક ઉપાયની જરૂરત છે. તે અંતર્ગત સામાજીક અંતરનું પાલન, ફેસ માક્ક, હાઈજીનનો ખ્યાલ, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ. તેમણે કહ્યું કે, તેનાથી ડેલ્ટા સ્ટ્રેન પણ અટકશે. ખાસ કરીને જો રસી લઈ લીધી હશે તો આ વેરિઅન્ટને નિયંત્રણમાં લાવી શકાય છે. WHO અનુસાર વાયરસ હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. માટે આપણે આપણા ગેમ પ્લાન પર ઝડપથી કામ કરવું પડશે. તેના માટે રસીકરણ સૌથી જરૂરી વસ્તુ છે.</p> <p><strong>વર્ષના અંત સુધી 40 ટકા જનસંખ્યાને રસી આપવી જરૂરી</strong></p> <p>WHO ઇચ્છે છે કે તમામ દેશો સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી 10 ટકા જનસંખ્યાને રસી આપી દે. ઉપરાંત વર્ષના અંત સુધીમાં 40 ટકા જનસંખ્યાને રસી આપી દેવામાં આવે. WHO ઇચ્છે છે કે, 2022ના મધ્ય સુધીમાં વિશ્વની 70 ટકા જનસંખ્યા પૂરી રીતે વેક્સિનેટેડ થઈ જવી જોઈ. અત્યાર સુધીમાં 400 કરોડ રસીના ડોઝ સમગ્ર વિશ્વમાં આપવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે અમીર દેશોમાં પ્રતિ 100 લોકોમાંથી 98 લોકોને રસી આપવામાં આવી છે જ્યારે 29 સૌથી ગરીબ દેશોમાં પ્રતિ 100 વ્યક્તિએ 1.6 લોકને રસી આપવામાં આવી છે.</p>

from world https://ift.tt/3yjbjYY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...