મુખ્ય સામગ્રી પર જાઓ

હવે પ્રાઈવેટ હોસ્પિટલને સીધી નહીં મળે કોરોના રસી, CoWin દ્વારા આપવો પડશે ઓર્ડર

<p>નવી દિલ્હીઃ દશમાં કોરોના રસીની વધતી માગ અને રસીકરણની ગતિને વધારે ઝડપી કરવા માટે સરાકરે વધુ એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે નવા નિયમ અંતર્ગત હવે પ્રાઈવેટ હોસ્પિટલ સીધી કંપનીઓ પાસેથી રસી નહીં ખરીદી શકે. રસી ખરીદવા માટે તેમણે CoWin એપનો ઉપયોગ કરવો પડશે. સાથે જ કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.</p> <p>સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ નવા નિયમ અનુસાર કોઈપણ ખાનગી હોસ્પિટલ વિતેલા મહિનાના કોઈ ખાસ સપ્તાહનો સરેરાશ જેટલો વપરાશ હતો તેનાથી ડબલ સ્ટોક ખરીદી શકે છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનમનાં એ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ સરેરાશ કાઢવા માટે પોતાની રીતે સપ્તાહની પસંદગી કરી શકે છે.</p> <p><strong>ડોઝનું ગણિત સમજો</strong></p> <p>માની લો કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ રસીકરણ સન્ટર જુલાઈ મહિનામાં રસીનો ઓર્ડર આપતા સમયે 21-27ના સપ્તાહને આધાર માને છે તો એ સપ્તાહે 350 ડોઢ લાગ્યા હોત તો રોજના સરેરાશ 50 ડોઝ થયા. એવામાં હોસ્પિટલ તેનાથી બે ગણાં એટલે કે 100 ડોઝ પ્રતિ દિવસ પ્રમાણે ઓર્ડર કરી શકે છે.</p> <p><strong>પ્રથમ વખત રસીકરણ ડ્રાઈવનો ભાગ રહેલ હોસ્પિટલ માટે નિયમ</strong></p> <p>સરકારે એ પણ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે કે એવી હોસ્પિટલો જે પ્રથમ વખત રસીકરણ ડ્રાઈવનો ભાગ બની હોય તેને ત્યાં બેડની ઉપલબ્ધતાના આધારે રસીની ફાળવણી કરવામાં આવશે.</p> <p>જણાવીએ કે, હાલમાં જ રસીકરણે લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા બહાર પાડ્યા હતા. આ આંકડા અનુસાર દેશમાં 1 જૂનથી 27 જૂનની વચ્ચે 10 કરોડથી વધારે રસીના ડોઝ લગાવાવમાં આવ્યા છે. બહાર પાડવામાં આવેલ આંકડા નુસાર સરેરાશ દરરોજ 40 લાખ આસપાસ રસીના ડોઝ દરરોજ દેશમાં લાગી રહ્યા છે.</p> <p><strong>ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી</strong></p> <p>રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,84,125 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,56,77,991 પર પહોંચ્યો છે.</p>

from india https://ift.tt/2UawQnE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...