<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. કોરોનાકાળમાં કેન્દ્ર સરકાર નાના કારોબારીઓ તથા ઉદ્યોગથી લઈ આમ આદમી માટે અનેક પ્રકારની યોજના ચલાવી રહી છે. પરંતુ કોરોના વાયરસની સાથે સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમોમાં અફવા ઝડપથી ઉડે છે. કેટલાક મામલામાં નકલી સરકારી યોજનાઓના નામે લોકોને ઠગવાની કોશિશ કરવામાં આવીરહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં તમામને 4 હજાર રૂપિયાની સહાયનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p><strong>શું છે વાયરલ મેસેજનું સત્ય</strong></p> <p>સોશિયલ મીડિયા વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના કેયર ફંડ યોજના અંતર્ગત તમામને રૂપિયા 4000ની સહાયત આપવામાં આવી રહી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો બોગસ છ. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">एक <a href="https://twitter.com/hashtag/WhatsApp?src=hash&ref_src=twsrc%5Etfw">#WhatsApp</a> मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार 'कोरोना केयर फंड योजना' के तहत सभी को ₹4000 की सहायता राशि प्रदान कर रही है।<a href="https://twitter.com/hashtag/PIBFactCheck?src=hash&ref_src=twsrc%5Etfw">#PIBFactCheck</a>: यह दावा <a href="https://twitter.com/hashtag/%E0%A4%AB%E0%A4%BC%E0%A4%B0%E0%A5%8D%E0%A4%9C%E0%A4%BC%E0%A5%80?src=hash&ref_src=twsrc%5Etfw">#फ़र्ज़ी</a> है। भारत सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। <a href="https://t.co/SSLK6x66He">pic.twitter.com/SSLK6x66He</a></p> — PIB Fact Check (@PIBFactCheck) <a href="https://twitter.com/PIBFactCheck/status/1410900994104377348?ref_src=twsrc%5Etfw">July 2, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.</p> <p><strong>દેશમાં શું છે કોરોનાનું ચિત્ર</strong></p> <p>ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43.071 નવા કેસ આવ્યા હતા અને 52,299 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 955 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 12 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ 87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 38 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.</p>
from india https://ift.tt/3qP3wPJ
via IFTTT
from india https://ift.tt/3qP3wPJ
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો