મુખ્ય સામગ્રી પર જાઓ

Mahisagar : યુવતીએ પ્રેમીને ઘરે મજા માણવા બોલાવ્યો ને પછી જે થયું તે જાણીને ચોંકી જશો

<p><strong>સંતરામપુરઃ</strong> મહીસાગરમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવાનની હત્યા કરીને લાશને ઘરના ખાળકૂવામાં નાંખી દીધી હતી. ગત તા.૧૯ જૂનના રોજ થયેલી હત્યાનો ભેદ આત્મહત્યાના બનાવની તપાસમાં ખૂલ્યો છે.&nbsp;</p> <p>આ અંગેની વિગતો એવી છે કે, સંતરામપુર તાલુકાના એક ગામમાં મૃતક યુવકને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે પરિણીતાના પતિને ખબર પડી જતા હોબાળો મચી ગયો હતો અને તેણે પ્રેમીના પિતાને ધમકી આપી હતી અને તેમના દીકારને ગામમાં નહીં આવવા દેવાની ચિમકી આપી હતી.</p> <p>બીજી તરફ પતિએ પત્ની સાથે મળીને યુવકની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. ગત 19મી જૂને યુવતીએ ફોન કરીને પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. પ્રેમી પ્રેમિકા સાથે મજા માણવાના ઇરાદે પહોંચ્યો હતો. જોકે, અગાઉથી કાવતરા પ્રમાણે ઘરે છૂપાયેલા પતિએ પ્રેમીને લોખંડની કોસ મારીને તેમજ વીજ કરંટ આપીને હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી લાશ ખાળકૂવામાં દાટી દીધી હતી.&nbsp;</p> <p>બીજી તરફ દીકરો ઘરે પરત ન ફરતાં માતાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બનાવના 12 દિવસ બાદ પતિએ પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી પહેલી જુલાઇએ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.&nbsp;</p> <p>પોલીસ આપઘાત પ્રકરણમાં તપાસ કરવા આવેલી પોલીસને હત્યા પ્રકરણમાં પરિણીતાની સંડોવણી પર શંકા જતાં તેમણે વધુ પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેણે પતિ સાથે મળીને પ્રેમીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, હત્યાના ડરથી પતિએ આત્મહત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.&nbsp;</p> <p>પરિણીતાની કબૂલાતને આધારે પોલીસે જેસીબીથી ખાળકૂવો ખોદીને યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે આ કેસમાં યુવકની પ્રેમિકાની ધરપકડ કરી છે. આમ, આડાસંબંધમાં ત્રણ લોકોની જીંદગી બરબાદ થઈ ગઈ છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/2SZQXVt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...