મુખ્ય સામગ્રી પર જાઓ

Modi Cabinet Reshuffle: જાણો કેટલાક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મંત્રીમંડળમાં મળી શેક છે સ્થાન

<p>કેંદ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. એબીપી ન્યૂઝના સૂત્રોને મળેલી માહિતી અનુસાર 7 જુલાઈના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં 17થી 22 મંત્રી શપથ લેશે. જે રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે રાજ્યમાં સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવશે.</p> <p>સૂત્રોના મતે ઉત્તરપ્રદેશમાંથી ત્રણથી ચાર મંત્રીઓનો સમાવેશ કરાશે. તો અપના દળમાંથી અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો બિહારમાંથી બેથી ત્રણ મંત્રીનો સમાવેશ કરાય તેવી શક્યતા છે.</p> <p>ભાજપમાંથી સુશીલ મોદી, જેડીયુથી RCP સિંહ અને LJPમાંથી પશુપતિ પારસને સ્થાન મળી શકે છે. જ્યારે મધ્યપ્રદેશમાંથી પણ એક &nbsp;બે મંત્રીનો સમાવેશ કેંદ્રીય મંત્રીમંડળમાં થઈ શકશે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનો સમાવેશ થઈ શકે છે.</p> <p>તો મહારાષ્ટ્રમાંથી પણ એક કે બે મંત્રીનો સમાવેશ થઈ શકે છે. મહારાષ્ટ્રથી નારાયણ રાણે, હિના ગાવિત, રણજીત નાઈક નિમ્બલકરને સ્થાન મળી શકે છે. તો રાજસ્થાન, જમ્મૂ કશ્મીર અને લદ્દાખથી એક &nbsp;એક નેતાઓને મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળથી શાન્તુન ઠાકુર અને નિશીથ પ્રામાણિક પૈકી કોઈને કેંદ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.</p> <p><strong>પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીને મળી શકે છે સ્થાન</strong></p> <p><strong>પૂર્વ મુખ્યમંત્રી</strong></p> <ul> <li>મહારાષ્ટ્રથી શિવસેનામાંથી ભાજપમાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે.</li> <li>અસમથી પૂર્વ મુખ્યમંત્રી સરવાનંદ સોનોવોલ.</li> </ul> <p><strong>પૂર્વ નાયબ મુખ્યમંત્રી</strong></p> <ul> <li>બિહારથી ભ જપના સુશીલ મોદી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચક્યા છે.</li> </ul> <p>અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. તે પહેલાં મંત્રીઓના કામનો રિવ્યૂ કર્યો હતો. ભાજપના કેન્દ્રના યુનિટે રાજ્યો પાસેથી પણ વિવિધ નેતાઓના પ્રોફાઈલ તપાસ્યા હતા, ત્યારથી જ મોદીના મંત્રાલયના વિસ્તરણની અટકળો શરૂ થઈ હતી. વડાપ્રધાન તરીકે મોદીએ બીજી વખત મે-૨૦૧૯માં શપથ ગ્રહણ કર્યા પછી પહેલી વખત મંત્રાલયનું વિસ્તરણ થશે.</p>

from india https://ift.tt/3dJnV3C
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...