મુખ્ય સામગ્રી પર જાઓ

PM Modi Cabinet Expansion: મનસુખ માંડવિયા બન્યા સ્વાસ્થ્ય મંત્રી, સિંધિયાને મળ્યું આ મંત્રાલય

<p>નવી દિલ્હીઃ મોદી મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એટલે કે સહકારિતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય આજે શપથ લેનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રાલય પોતે સંભાળશે. તે સિવાય કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને સિવિલ એવિએશન મંત્રાલય સોંપવામાં આવ્યું છે.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412813889474007040[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412810544160018437[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412814837155995649[/tw]</p> <p>મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે સાથે રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 53 મંત્રાલયોને હવે 30 કેબિનેટ મંત્રી સંભાળશે. તે સિવાય અશ્વિનિ વૈષ્ણવ હવે દેશના નવા રેલવે મંત્રી હશે. તેમણે આઇટી મંત્રીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તે સિવાય ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રધાનને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412810544160018437[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412821418669088772[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412811591888691203[/tw]</p> <p>સિવિલ એવિએશન મંત્રી રહેલા હરદીપસિંહ પૂરી હવે દેશના પેટ્રોલિયમ મંત્રી હશે. તેમની પાસે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી પણ રહેશે. અનુરાગ ઠાકુરને સૂચના અને પ્રસારણ મંત્રાલય અને યુવા અને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મિનાક્ષી લેખી વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે સાથે તેમની પાસે સંસ્કૃતિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય પશુપતિ પારસને સોંપવામાં આવ્યું છે અને કોમર્સ મિનિસ્ટર પિયૂષ ગોયલને હવે કાપડ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412817490443313152[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412819094039007233[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412819526278737932[/tw]</p> <p>સ્મૃતિ ઇરાની હવે ફક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. આ અગાઉ તેમની પાસે કાપડ મંત્રાલય પણ હતું જેને હવે પિયૂષ ગોયલને સોંપવામાં આવ્યું છે. તે સિવાય ભૂપેન્દ્ર યાદવને શ્રમ મંત્રાલયની&nbsp; જવાબદારી સોંપવામાં આવી છે. ગિરિરાજ સિંહ ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412816026283085824[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412812399946567682[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412812101551214596[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412812848615411712[/tw]</p> <p>હવે દેશના નવા કાયદા મંત્રી કિરણ રિજિજૂ હશે. તે સિવાય આરકે સિંહને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે. આરકે પૂર્વ આઇએએસ અધિકારી છે. આરકે સિંહ દેશના ગૃહ સચિવ રહી ચૂક્યા છે. સર્બાનંદ સોનોવાલને આયુષ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તે સિવાય તેમની પાસે શિપિંગ વોટરવેજ મંત્રાલય રહેશે. નારાયણ રાણેને લઘુ મધ્ય ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412814175789748224[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1412811591888691203[/tw]</p> <p>બીએલ વર્માની પાસે પૂર્વોત્તર રાજ્યોના મંત્રાલય સિવાય સહકારિતા મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે એટલે કે તેઓ અમિત શાહના રાજ્યમંત્રી હશે. નિશિત પ્રમાણિકને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અજય કુમાર મિશ્રાને પણ ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.</p> <p>વડાપ્રધાન મોદી પાસે કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય રહેશે. અમિત શાહ પાસે ગૃહ અને સહકારિતા મંત્રાલય, રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી અને નિર્મલા સીતારમણ નાણા અને કોર્પોરેટર મામલાના મંત્રી રહેશે.</p> <p>પંકજ ચૌધરીને નાણા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અનુપ્રિયા પટેલને કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અજય ભટ્ટને સંરક્ષણ અને પર્યટન વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે અજય કુમારને ગૃહ વિભાગમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અન્નપૂર્ણા દેવીને શિક્ષણમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. એ.નારાયણસ્વામીને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યા છે. કૌશલ કિશોરને શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.</p>

from india https://ift.tt/3ANCD3s

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...