મુખ્ય સામગ્રી પર જાઓ

Zika Virus: કેરળમાં સામે આવ્યો ઝીકા વાયરસનો પ્રથમ કેસ, 24 વર્ષની ગર્ભવતી મહિલા સંક્રમિત

<p><strong>નવી દિલ્હીઃ</strong> કેરળમાં કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં મચ્છરથી ફેલાતી બીમારી ઝીકા વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો છે.</p> <p><strong>13 શંકાસ્પદને સેમ્પલ મોકલવામાં આવ્યા</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તિરૂવનંતપુરમથી ઝીકા વાયરસના 13 અન્ય શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તેમનું કહેવું છે કે, ટેસ્ટ માટે તેમના સેમ્પલ પુણએની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ આગળની પુષ્ટિ કરવામાં આવશે. મંત્રીનું કહેવું છે કે તિરૂવનંતપુરમથી મોકલવામાં આવેલ 19 નમૂનામાંથી ડોક્ટરો સહિત 13 સ્વાસ્થ્ય કર્મીઓ ઝીકા સંક્રમિત હોવાની આશંકા છે.</p> <p><strong>ગર્ભવતી મહિલાએ 7 જૂનના રોજ બાળકન જન્મ આપ્યો</strong></p> <p>તેમણે કહ્યું કે, તિરૂવનંતપુરમ જિલ્લાની રહેવાસી મહિલાએ 7 જુલાઈના રોજ બાળકને જન્મ આપ્યો હતો. જેમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે. તેમનું કહેવું છે કે, મહિલાને 28 જૂનના રોજ તાવ, માથામાં દુઃખાપો અને શરીર પર લાગ નિશાનની ફરિયાદ સામે આવવા પર હોસ્પટિલમાં ભરતી કરાવવામાં આવી હતી.</p> <p>સ્વાસ્થ્ય મંત્રી અનુસાર હોસ્પિટલમાં કરવામાં આવેલ તપાસમાં મહિલાને ઝીકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેના સેમ્પલ તપાસ માટે એનઆઈવી, પુણે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મહિલાની સ્થિતિ સંતોષજનક છે. ઉપરાંત મહિલાએ હજુ સુધી રાજ્યની બહાર કોઈ યાત્રા નથી કરી.</p> <p><strong>ઝીકા વાયરસના લક્ષણો</strong></p> <p>ઝીકા વાયરસના લક્ષણો ડેંગ્યુ જેવા જ હોય છે, તેમાં તાવ, ચામડી પર લાલ રંગની ફ્લોલી અને દુખાવો અ આંખ લાલ થઈ જવાનું સામેલ છે. ઝીકા વાયરસને કારણે સંક્રમિત વ્યક્તિ 7થી 8 દિવસ સુધી પ્રભાવિત રહે છે. આ વાયરસ ગર્ભવતી મહિલાને વધારે પ્રભાવિત કરે છે. તેના કારણે જન્મ લેનાર બાળક અવિકસિત મગજ સાથે જન્મે છે.</p> <p class="article-title "><a title="Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 કેસ નોંધાયા, સતત બીજા દિવસે કોરોનાથી એક પણ મોત નહીં" href="https://ift.tt/36qiYbP" target="">Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 કેસ નોંધાયા, સતત બીજા દિવસે કોરોનાથી એક પણ મોત નહીં</a></p>

from india https://ift.tt/3ATamZp
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...