મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નહીં, અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 12 ઈંચ વરસાદ

<p>રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આશા નહીં. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે રાજ્યમાં સારા વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારસુધી રાજ્યમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.</p> <p>આમ, ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭ ટકા ઓછો નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા,&nbsp; ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાયો છે.</p> <p><strong>મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી</strong></p> <p>દેશમાં ભારે વરસાદે પહાડથી લઈ રણ સુધી હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી કેટલાક રાજ્યો પૂરથી પ્રભાવિત થયા છે. દેશનું દિલ જેને કહેવાય છે તે મધ્યપ્રદેશ હાલ પૂરમાં ડૂબ્યું છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લા શિવપુરી, શિયોપુર અને દતિયામાં ભારે વરસાદે સૌથી વધુ તબાહી મચાવી દીધી છે. ત્રણેય જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.</p> <p>હવામાન વિભાગે મધ્યપ્રદેશના 25 જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આઘાહી કરી કરી છે. તો શિવપુરી અને શિયોપુરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી શિવપુરીમાં 47 સેંટિમીટર, ગુનામાં 27 સેંટિમીટર, અશોકનગરમાં 20 સેંટિમીટર અને ટીકમગઢમાં 10 સેંટિમીટર વરસાદ વરસી ચૂક્યો છે.</p> <p>મધ્યપ્રદેશમાં પૂરના હાહાકારના કારણે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત કરી શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. આ તરફ શિવપુરીમાં ભારે વરસાદ અને પૂરના કારણે 45થી વધુ પરિવારો ફસાયા હતા. હાલ વાયુસેનાએ ફસાયેલા લોકોને બચાવી લેવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ તરફ SDRFએ અત્યાર સુધી 15 લોકોને હોડીની મદદથી બચાવી લીધા હતા. તો 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું હતું.</p>

from gujarat https://ift.tt/3CezHgH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...