મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત ભાજપના પૂર્વ સાંસદનો દીકરો વીજ ચોરી કરતા ઝડપાયો, વીજ કંપનીએ 1.95 લાખનો દંડ ફટકાર્યો

<p>ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રના ઘરેથી વીજ ચોરી ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે વીજ કંપનીએ શુક્રવારે અચાનક ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન પૂર્વ સાંસદ પ્રભાતસિંહના પુત્ર વીજય ચૌહાણના ઘરે ચેકિંગ કરતા વીજ ચોરી ઝડપાઈ હતી. જે બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ 1 લાખ 95 હજારનો દંડ ફટકારી વસૂલાતની કામગીરી સહીત પોલીસ ફરિયાદની કામગીરી શરુ કરી છે.</p> <p><strong>સાંસદના પીએ તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ</strong></p> <p>અમરેલીના સાંસદ નારણ કાછડીયાના પીએ તરીકે ખોટી ઓળખાણ આપી બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવાનું કહી ઠગાઈ અને છેતરપીંડી આચરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસે બે આરોપીઓની ધરપરડ કરી છે. મુકેશભાઈ ચોલેરા નામના વેરાવળના વ્યક્તિને ફોન કરી તાપીના બે શખ્સોએ અઢી લાખ રૂપિયા નાણા માંગ્યા હતા. અને સાંસદના પીએ સુરેશભાઈ તરીકેની ખોટી ઓળખાણ આપી હતી. જો કે આ અંગે મુકેશભાઈ સાંસદના પીએ વિશાલ સરધારાનો સંપર્ક કરતા ગઈકાલે ફરિયાદ નોંધવાઈ હતી. જેથી ખોટી ઓળખ અને ઠંગાઈ અને છેતરપિંડી કરનાર બંન્ને શખ્સોને ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ સહિત 45 હજારનો મુદામાલ કબ્જે કરાયો.</p> <p><strong>પાટણ ચીફ ઓફિસર અને ભાજપના નગરસેવક વચ્ચે છૂટાહાથની મારમારી</strong></p> <p>પાટણ નગરપાલિકામાં સહી કરવા જેવી બાબતે થયો મોટો હંગામો. પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના નગરસેવક વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. વાત એમ હતી કે, ભાજપના નગરસેવક મહમંદ હુસૈન ફારુકી પોતાના વોર્ડના લોકોને નળ કનેક્શન મળે તે માટે ફોર્મ લઈને પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી પાસે પહોંચ્યા હતા.</p> <p>નગરસેવકે ચીફ ઓફિસરને ફોર્મમાં સહી કરવાનું કહેતા. જવાબ મળ્યો કે થોડી વાર પછી આવો. જેને લઈ ભાજપના નગરસેવક ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે&nbsp; મારપીટ થઈ. એક સમયે તો ભાજપના નગરસેવકે ખુરશી ઉપાડી લાત મારી હતી. તો સામે ચીફ ઓફિસરે પણ થપ્પડો વરસાવી હતી.</p> <p>મારપીટને લઈ પાલિકા કચેરીમાં અફરા-તફરી મચી ગઈ હતી. ત્યા હાજર લોકોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. નગરસેવકનો આરોપ હતો કે એક મહિનાથી ચીફ ઓફિસર ફોર્મ પર સહી જ ન કરતા ન હતા.</p>

from india https://ift.tt/3fEyhCJ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...