મુખ્ય સામગ્રી પર જાઓ

'વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે 2022 વિધાનસભાની ચૂંટણી', જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન?

<p><strong>ગાંધીનગરઃ</strong> આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એક મોટી વાત સામે આવી છે. ગુજરાતના હાલના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધી છે. તેમને કહ્યું કે, આગામી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં લડાશે. પાટીલનુ આ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યુ છે.&nbsp;</p> <p>ગાંધીનગરમાં યોજાયેલા 75મો સ્વાતંત્ર્ય પર્વના મહોત્સવ દરમિયાન સીઆર પાટીલે આ નિવેદન આપ્યુ હતુ. આનંદ અને ઉત્સાહ સાથે ધ્વજવંદન બાદ સી આર પાટીલે સંબોધન દરમિયાન કહ્યું કે, આગામી ગુજરાત વિધાનસાભ ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં જ લડાશે.&nbsp;</p> <p>સી આર પાટીલે 75માં સ્વાતંત્ર્ય પર્વ મહોત્વસ દરમિયાન પોતાના નિવેદનમાં દેશના વીર સપૂતો વિશે પણ વાત કરી. તેમને સંબોધનમાં કહ્યું કે, આ સ્વતંત્રતા મેળવવા માટે અનેક લોકોએ પોતાની છાતીમાં ગોળીઓ ખાધી છે, અનેક યુવાઓ જેલવાસ ભોગવ્યો છે અને શાહિદ થયા છે, આ વિરલાઓ ના કારણે આપણને સ્વતંત્રતા મળી છે કોઈ સહજતાથી સ્વતંત્રતા મળી છે. આ સ્વંત્રતા સેનાનીઓ ની દેશના વિકાસની અપેક્ષાઓ હતી. તેમને આગળ કહ્યું- નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ આ સ્વંત્રતા સેનાનીઓની ઈચ્છા અનુસાર અનેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે, કોરોના મહામારીમાં આત્મનિર્ભરતા સાથે વૈજ્ઞાનિકોની મદદથી આપણે આગળ વધ્યા છીએ, કોરોના મહામારીમાં ડોકટરો સહિત કોરોના વોરિયર દ્વારા જવાબદારી પૂર્વક ફરજ બજાવી છે, 75 માં સ્વતંત્રતા દીને ગુજરાત અને દેશના તમામ લોકોને શુભેચ્છા.</p> <p>ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લડાઇ હતી. જોકે, કોરોનાના કપરા કાળ બાદ લોકોને લાગતુ હતુ કે ભારતીય જનતા પાર્ટી કોઇ નવા ચહેરા સાથે આગામી ચૂંટણીમાં ઉતરી શકે છે પરંતુ હવે સી આર પાટીલના આ નિવેદને બધા ભ્રમને દુર કરી દીધો છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3iMMPCn
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...