મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 41.42 ટકા વરસાદ પડ્યો

<p>ગુજરાતમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ. હવામાન વિભાગની આગાહી અનુસાર, 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં થશે મેઘમહેર. હવામાન વિભાગના અનુસાર&nbsp; 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. તો 24-25-26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે.</p> <p>હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં વરસી ચૂક્યો છે સીઝનનો 41.42 ટકા વરસાદ. જેમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં. અહીં વરસી ચૂક્યો છે 50.72 ટકા વરસાદ. તો સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં વરસી ચૂક્યો છે 37.87 ટકા વરસાદ.</p> <p><strong>અમરેલીમાં વરસાદ</strong></p> <p>અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ. અમરેલીના વડીયા પંથકના પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ખેતરો થયા પાણીથી તરબોળ. તો હનુમાન ખીજડીયા ગામે નદીમાં નવા નીર આવતા ચેકડેમ છલકાયા હતા. વડિયા પંથકના મોરવાડા, ખાખરીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. મૂરઝાતા પાક પર મેઘરાજા રૂપી કાચુ સોનું વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને મળ્યું જીવનદાન.</p> <p><strong>રાજ્યમાં ડેમોની સ્થિતિ</strong></p> <p>રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો કુલ 207 જળાશયોમાં 47.75 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 23.97 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.40 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 40.3 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 જળાશયોમાં 21.34 ટકા પાણીનો જથ્થો. દક્ષિણ ગુજરાતનો એક અને સૌરાષ્ટ્રના 2 જળાશયો 100 ટકા ભરાયેલા છે.</p> <p><strong>રાજ્યમાં વરસાદ</strong></p> <p>રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે.&nbsp; 2 તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના&nbsp; 91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તો 22 તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો સિઝનનો વરસાદ&nbsp; પડ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો દક્ષિણ ગુજરાતમાં 29.64 ઈંચ, સૌરાષ્ટ્રમાં 10.32 ઈંચ અને કચ્છમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ&nbsp; પડ્યો છે. મધ્ય ગુજરાતમાં 12.20 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 9.16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.</p>

from gujarat https://ift.tt/3keONea
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...