મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ગંભીર જળસંકટના એંધાણ, નર્મદા ડેમમાં માત્ર 45.40 ટકા પાણી

<p>રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ખેંચાઈ વર્તાઈ રહી છે. હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાખી રહ્યા છે આશા. જો વરસાદ ખેંચાશે તો ગુજરાતમાં ઉભુ થઈ શકે છે ગંભીર જળસંકટ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં આ વખતે 45.40 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નર્મદા ડેમ 20 મીટર જેટલો ખાલી છે. જો આ સપ્તાહમાં વરસાદ નહી વરસે તો આગામી દિવસોમાં સિંચાઇના પાણી પર વધુ કાપ આવી શકે તેવી પૂરેપુરી સંભાવના છે.</p> <p>ગુજરાતમાં વરસાદ ખેચાયો છે જેના કારણે ખેતીને ભારે નુકશાન પહોંચે તેવી&nbsp; ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે.ટૌટે વાવાઝોડાના નુકશાનની હજુ કળ વળી નથી ત્યા ફરી એક વાર ખેડૂતોને કુદરતી આફતનો શિકાર બનવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.હાલ નર્મદા ડેમમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમી વધારો નોંધાઇ રહ્યો છે કેમકે ઉપરવાસમાં ય વધુ વરસાદ વરસ્યો નથી જેથી નર્મદામાં પાણીની આવક ઓછી રહી છે.</p> <p>ગત વર્ષ 28મી ઓગસ્ટે નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.68 મિટર પાર કરી ગઇ હતી જેના કારણે ડેમના 23 દરવાજા ખોલવા પડયા હતાં.પણ આ વર્ષે વરસાદની સ્થિતિ કઇંક ઓર છે. નર્મદા જિલ્લામાં જ અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ માત્ર 487 મીમી વરસ્યો છે. અત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 12 હજાર 350 ક્યૂસેક થઇ રહી છે જયારે 12 હજાર કયૂસેક પાણીની જાવક છે.ટૂંકમાં 12 કલાકમાં માત્ર 7 સેમી પાણીની સપાટીમાં વધારો થયો છે જે નહીવત ગણાય.</p> <p>નર્મદા ડેમમાં અત્યારે 45.50 ટકા પાણીનો જથ્થો ઉપલ્બધ છે. આ વખતે પાણી ઓછુ હોવાથી ઓગસ્ટના અંત સુધી જ સિંચાઇનુ પાણી મળશે. સપ્ટેમ્બરથી સિંચાઇના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનુ પાણી આરક્ષિત રાખવા આદેશ કર્યો છે બાકીનુ પાણી સિંચાઇ માટે આપવા સૂચના આપી છે.</p> <p>નર્મદા ડેમમાંથી ઉદ્યોગોને 125 કયૂસેક પાણી અપાય છે. હાલ તો વરસાદની અછતને કારણે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ પર જળસંકટ મંડાયુ છે. હજુ એકાદ સપ્તાહ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને સિચાઇનુ પાણી મેળવવુ મુશ્કેલ પડશે. અત્યારે ખેડૂતોની નજર આભ પર મંડાઇ છે જયારે&nbsp; દુષ્કાળના ડાકલા વાગતાં રાજ્ય સરકારની માથે પણ ચિંતાના વાદળો મંડાયા છે.</p>

from gujarat https://ift.tt/2WwlFHt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...