મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, આગામી 5-7 દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં

<p>રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આગામી પાંચથી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ કે હાલ ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેથી આગામી પાંચથી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. પણ અમદાવાદમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી.</p> <p><strong>નર્મદા ડેમની જળસપાટી વધી</strong></p> <p>છેલ્લા ઘણા સમયથી નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાતો હતો પરંતુ આજે નર્મદા ડેમની જળસપાટી વધી છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 15 સેંટીમીટર વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી વધી 116.41 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 13 હજાર 753 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી 13 હજાર 627 ક્યુસેક પાણીની જાવક છે. હાલ કુલ પાણીનો સ્ટોરેજ 4 હજાર 405.23 મિલિયન ક્યુબિક મીટર છે.</p> <p><strong>નવસારી જિલ્લાના ડેમ તળિયાઝાટક થવાના આરે</strong></p> <p>નવસારી જિલ્લમાં સારા વરસાદની આગાહી વચ્ચે સામાન્ય વરસાદ પડ્યો છે. તો ઉપરવાસમાં પણ માફક વરસાદ જ વરસતા જિલ્લાની જીવાદોરી ગણાતા વાંસદા તાલુકામાં કેલીયા અને જૂજ ડેમમાં માત્ર નજીવી આવક જ થઈ છે. નજીવા નીરની જ આવક થતા હવે નવસારી જિલ્લાના ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. જૂજ ડેમમાંથી જિલ્લાના 20થી વધુ ગામને પાણી પૂરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત સિંચાઈનું પાણી જ અહીંથી આપવામાં આવે છે.</p> <p>નવસારી જિલ્લામાં હજુ સુધી સિઝનનો માત્ર 28 ટકા જ વરસાદ નોંધાયો છે. તો જૂજ ડેમમાંથી જ વાંસદા અને ચીખલી તાલુકાના 17 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. એક તરફ નવસારીમાં 21 દિવસથી વરસાદનું ટીપુય વરસ્યું નથી તો ડેમના કેચમેંટ એરિયામાં પણ વરસાદ વરસ્યો નથી. જ્યારે ડેમમાં પાણીનો જથ્થો 48 ટકા છે. અગાઉ પડેલા વરસાદના કારણે ખેડૂતોએ પાકનું તો વાવેતર કરી નાંખ્યું હવે ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત છે. ત્યારે ખેડૂતો પણ ચિંતાતૂર બન્યા છે. આવી જ સ્થિતિ કેલીયા ડેમની છે.</p>

from gujarat https://ift.tt/37v0qaL

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...