મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, આ 8 રાજ્યોમાં R વેલ્યુએ વધારી ચિંતા, જાણો વિગત

<p>નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ખતમ નથી થઈ.&nbsp; કેરળમાં કોરોનાના સતત વધતાં કેસના પગલે દક્ષિણના રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની નિષ્ણાતાએ ચેતવણી આપી છે. દેશના આઠ રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, તમિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, પુડ્ડુચેરી અને કેરળમાં કોરોનાના કેસને લઈ ચિતાની વાત છે.</p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, સમગ્ર વિશ્વમાં આર વેલ્યૂ વધી રહી છે અને ભારતમાં તે 1.2 છે. તેમણે આ સંદર્ભે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનું ઉદાહણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશના 12 રાજ્યોના 44 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકા છે. આ રાજ્યોમાં કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેંડ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય મોખરે છે.</p> <p><strong>કોરોના સંક્રમણની </strong><strong>R </strong><strong>વેલ્યૂ વધવી એ છે વધારે ચિંતાજનક</strong></p> <p>કોરોનાના વધતા કેસ કરતાં પણ વધારે ચિંતાજનક એ વાત છે કે કોરોના સંક્રમણની R વેલ્યૂ વધી રહી છે. એક કોરોના સંક્રમિત વ્યક્તિ જેટલી વ્યક્તિને કોરોનાથી સંક્રમિત કરે છે તેને R વેલ્યૂ કહે છે. જો એક વ્યક્તિ એક જ વ્યક્તિને સંક્રમિત કરે તો તેની R વેલ્યૂ 1 હશે, જ્યારે એક વ્યક્તિ બે વ્યક્તિને સંક્રમિત કરે તો R વેલ્યૂ 2 હશે.</p> <p><strong>શા માટે વધતી </strong><strong>R </strong><strong>વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે</strong></p> <p>જે R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે તે કોરોનાની ગતિ વધારવામાં R વેલ્યૂની ભૂમિકા મહત્ત્વની છે. માર્ચ 2021માં જ્યારે દેશમાં બીજી લહેર ચાલી રહી હતી ત્યારે R વેલ્યૂ 1.37 હતી, ત્યાર બાદ એપ્રિલ 2021માં જ્યારે પ્રકોપ ઘટ્યો ત્યારે વેલ્યૂ 1.18 થઈ ગઈ. મે 2021માં R વેલ્યૂ 1.10, જૂન 2021માં વેલ્યૂ ઘટીને 0.96 થઈ ગઈ. પરંતુ જુલાઈના અંતિમ સપ્તાહમાં તેમાં વધારો થવાનો શરૂ થયો અને તે 1 પર પહોંચી ગઈ છે.</p> <p><strong>લોકો નહીં માને તો ટૂંકમાં જ આવશે ત્રીજી લહેર - એક્સપર્ટ્સ</strong></p> <p>દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં જુલાઈ દરમિયાન ઘટાડો આવ્યો હતો પરંતુ મહામારીથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જોકે જુલાઈના અંતિમ સપ્તાહમાં કેસનો આંકડો 30થી 40 હજારની વચ્ચે રહ્યો અ વાયરસથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જુલાઈમાં કોરોનાથી 25 હજારથી વધારે મોત થયા. ડોક્ટોરનું કહેવું છે કે કોરોનાને લઈને જે રીતે બેદરકારી દાખવવામાં આવી રહી છે અને જો લોકો નહીં માને તો ત્રીજી લહેર આવાવમાં મોડું નહીં થાય.</p>

from india https://ift.tt/2WUhEwk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...