મુખ્ય સામગ્રી પર જાઓ

Ayodhya Ram Mandir: રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષના અંત સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે

<p>રામ ભગવાનના ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે રાહ જોઇ રહેલા ભક્તોને વધારે રાહ જોવી નહી પડે. ડિસેમ્બર 2023થી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે. આ દરમિયાન મંદિરમાં નિર્માણ કાર્ય ચાલુ રહેશે. મંદિર ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.</p> <p>સૂત્રોના મતે રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધી પુરુ થઇ જશે. 2025 સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ જશે. ગર્ભગૃહમાં ભગવાન રામ બિરાજમાન થશે પરંતુ પ્રથમ માળ પર રામનો દરબાર હશે. જેમાં શ્રી રામ સાથે માતા સીતા બિરાજમાન રહેશે. આખુ પરિસર 110 એકરમાં હશે. રામ મંદિરનુ પરિસરમાં મુખ્ય મંદિર આખું સ્ટોનથી બનશે.</p> <p>રામ મંદિર પરિસરના નિર્માણ પર લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રામ મંદિર ટ્રસ્ટને દાનમાં અત્યાર સુધીમાં લગભગ 3000 કરોડ રૂપિયા પ્રાપ્ત થઇ ચૂક્યા છે. જેમાં એનઆરઆઇ દ્ધારા મોકલાયેલું દાન સામેલ નથી. રામ મંદિરના નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ નહી થાય. સૂત્રોના મતે મંદિરના ગર્ભગૃહ પર બનનારા શિખરની ઉંચાઇ જમીનથી 161 ફૂટ હશે જેને રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થરો અને સંગમરમરથી બનાવવામાં આવશે.</p> <p>જોકે, સૂત્રોના મતે આખુ મંદિર પરિસર વર્ષ 2025 સુધીમાં તૈયાર થઇ જશે. સૂત્રોએ કહ્યું કે મુખ્ય મંદિર ત્રણ માળનું હશે જેમાં પાંચ મંડપ હશે. નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભાજપનું દાયકાઓ જૂનું વચન હતું. માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ આ સ્થાન પર થયો હતો. મંદિરનું નિર્માણ યોજના અનુસાર થઇ રહ્યું છે. અંદાજ અનુસાર વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તો મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કરી શકશે.</p> <p>મંદિર નિર્માણનો સમય રાજકીય રીતે&nbsp; પણ મહત્વનો રાખવામાં આવ્યો છે. કારણ કે આગામી લોકસભા ચૂંટણી વર્ષ 2024માં યોજાશે. જો મંદિર નિર્માણ યોજના અનુસાર પૂર્ણ થાય છે તો સતાધારી પાર્ટી ભાજપને ચૂંટણીમાં પ્રચાર માટે એક મુદ્દો મળી જશે.</p>

from india https://ift.tt/3ilvyzS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...