મુખ્ય સામગ્રી પર જાઓ

વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે મંત્રીઓને સિંચાઈ, પીવાના પાણીની જવાબદારી સોંપી

<p>રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર ગંભીર બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીની અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે. કૃષિમંત્રી આરસી ફળદુ, શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચૂડાસમા અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આ જવાબદારી ઉઠાવશે.</p> <p>ભૂપેંદ્રસિંહ ચૂડાસમાએ રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેવો જનતાને ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે પીવાના પાણીને લઈને તમામ વ્યવસ્થાઓ કરી લીધી છે. સાથે તેઓએ આગામી દિવસમાં સારો વરસાદ વરસશે તેવી પણ આશા વ્યક્ત કરી છે.</p> <p><strong>પરેશ ધાનાણાની ખેડૂતને સહાયની માગ</strong></p> <p>સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય કરે. આ માગ કરી છે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ. વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોને દિવસે 14 કલાક વિજળી આપે ઉપરાંત જે વિસ્તારમાં જળાશયોમાં પાણી છે ત્યા સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા માગ કરી છે. સરકાર તાત્કાલિક સર્વે કરવી અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરે અને નિયમ મુજબ ખેડીતોને અને પશુપાલકોને સહાય ચૂકવે.</p> <p><strong>રાજ્યમાં કૃત્રિમ વરસાદની માગ</strong></p> <p>દુષ્કાળના સંકટ વચ્ચે રાજ્યમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માગ કરી છે. જે વિસ્તારમાં વાદળો બંધાય છે તેવા વિસ્તારમાં સરકાર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માગ કરી છે. અપૂરતા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. ત્યારે સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ.</p> <p>બીજી તરફ રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ડુંગળીમાં આવેલા વાયરસે ખેડૂતોની ઉંઘ ઉડાડી દીધી છે. વડિયા ગામમાં લાલ ડ઼ુંગળી પર વાયરસ ત્રાટકતા ડુંગળીનો પાક સુકાઈ ગયો છે.વડીયા ગામના વતની વિજયભાઈ વસાણીના વસાણીએ પોતાના ચાર વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. બિયારણ જંતુનાશક દવા ખાતર સહિત કુલ ૨૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે અને વાયરસના કારણે તેમની ચાર વીઘાની ડુંગળી સદંતર નિષ્ફળ ગઈ છે.</p>

from gujarat https://ift.tt/3DiVPat
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...