મુખ્ય સામગ્રી પર જાઓ

લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘમહેર, જાણો ક્યા-ક્યા જિલ્લામાં વરસાદ પડ્યો

<p>લાંબા સમયના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાની યાત્રાધામ શામળાજીમાં પધરામણી થઈ છે. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો.</p> <p>ભિલોડાના નાપડાકંપામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. જિલ્લાના ખેડ઼ૂતોનો પાક મુરજાઈ રહ્યો છે. હાલ ખેડૂતોને વરસાદની ખુબ જ જરૂર છે. અરવલ્લી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના મોટાભાગના ડેમમાં જળસ્તર નીચે ગયા છે.</p> <p><strong>સાબરકાંઠા જિલ્લામાં વરસાદ</strong></p> <p>સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડ્યો છે. વિજયનગર બાદ ખેડબ્રહ્મા, પોશીના અને ઇડર પંથકમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડવાને કારણે ખેડૂતોને વરસાદ વરસવાને લઈ આશા જીવંત થઈ છે. હિંમતનગર તાલુકામાં સીઝનનો અત્યારસુધીમાં 9 ઈંચ, ઈડરમાં 10 ઈંચ, ખેડબ્રહ્મામાં 8 ઈંચ વરસાદ, પોશીનામાં 11 ઈંચ સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે.</p> <p><strong>અમરેલીમાં વરસાદ</strong></p> <p>અમરેલીના જાફરાબાદ, ખાંભામાં વરસાદ પડ્યો હતો. સાંજ બાદ જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખાંભામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના ખાંભામાં અત્યારસુધીમાં સીઝનનો સાડા દસ ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 73.85 ટકા વરસાદ પડ્યો છે.</p> <p>બાબરામાં સિઝનનો 53.12 ટકા, બગસરામાં 27.79 ટકા, ધારીમાં 37.74 ટકા, જાફરાબાદમાં&nbsp; 29.50 ટકા, ખાંભામાં 39.98 ટકા, લાઠીમાં સિઝનનો 34.32 ટકા, લીલીયામાં 75.44, રાજુલામાં 42.96 ટકા, સાવરકુંડલામાં 53.52 ટકા અને વડિયામાં 31.52 ટકા વરસાદ વરસ્યો.</p>

from gujarat https://ift.tt/3zuHXYb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...