મુખ્ય સામગ્રી પર જાઓ

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા એન્કરો પર લગાવ્યો પ્રતિબંધ, ન્યૂઝ વાંચવા માટે આ લોકોને કરાયા તૈયાર, જાણો વિગતે

<p><strong>કાલુબઃ</strong> અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને મહિલા એન્કરોને બેન કરી દીધા છે. સરકારી ન્યૂઝ ચેનલની મહિલા ન્યૂઝ એન્કરને તાલિબાને નોકરીમાંથી કાઢી મુકી છે. હવે તાલિબાની એન્કર ટીવી પર ન્યૂઝ વાંચશે. ખદીતા અમીના નામની એક મહિલા સરકારી ન્યૂઝ ચેનલમાં એન્કર હતી, તેને પણ હટાવી દેવામાં આવી છે. એક દિવસ પહેલા જ તાલિબાને કહ્યું હતુ કે મહિલાઓના હિતોની રક્ષા થશે. હવે તાલિબાન કહી રહ્યું છે કે ફક્ત શરીયત કાનૂન અંતર્ગત જ મહિલાઓને કામ કરવાની પરવાનગી છે.&nbsp;</p> <p>નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ અફઘાન ન્યૂઝ એન્કર ખદીજા અમીનાએ કહ્યું - હું શુ કરીશુ, આગળની પેઢી પાસે કંઇ કામ નહીં હોય. 20 વર્ષોમાં જે કંઇપણ હાંસલ કર્યુ, બધુ જતુ રહ્યું. તાલિબાન તાલિબાન છે, તે નથી બદલાયા.</p> <p><strong>મહિલાઓની સાથે નહીં થાય ભેદભાવ-</strong><br />એક દિવસ પહેલા જ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું હતુ કે હવે અફઘાનિસ્તાનને મુક્ત કરી કરાવી લેવામાં આવ્યુ છે. ગઇ સરકારમાં મહિલાઓ પર કેટલીય પાબંદીઓ લગાવવામાં આવી હતી, વળી તેમના શાસનકાળમાં મહિલાઓની સાથે કોઇપણ પ્રકારના ભેદભાવ નહીં કરવામાં આવે. મુજાહિદ અનુસાર મહિલાઓને ઇસ્લામી કાનૂનના માપદંડો અંતર્ગત અધિકાર આપવામાં આવશે. મહિલાઓને સ્વાસ્થ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની આઝાદી રહેશે.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ પહેલા તાલિબાનના શાસનના સમય અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘરની ચાર દીવાલોની અંદર જ સીમિત કરી દેવામાં આવી હતી. ત્યારે પણ મહિલાઓના જીવન અને અધિકારો કેટલીય કડક પાબંદીઓ લગાવવામાં આવી હતી. હવે એકવાર ફરીથી સત્તામાં તાલિબાનની વાપસી થઇ ગઇ છે. આવામાં સૌથી મોટી સમસ્યા અફઘાની મહિલાઓની સુરક્ષા અને અધિકારોની ઉભી થઇ છે.&nbsp;</p> <p><strong>Afghanistan Crisis: રાષ્ટ્રપતિ તો ભાગી ગયા, પરંતુ આ માણસે તાલિબાનને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું....</strong><br />તાલિબાન દ્વારા કાબુલ કબજે કરવામાં આવ્યું છે અને તાલિબાન હવે સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં હજુ લોકશાહીની એક આશા છે. ત્યાં એક મોટો નેતા છે અને તે હજુ પણ દેશ છોડીને ભાગી ગયો નથી, પરંતુ તાલિબાન સાથે લડવાની વાત કરી રહ્યા છે.</p> <p>હકીકતમાં, તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, પરંતુ હજુ પણ એવો વિસ્તાર છે જ્યાં તાલિબાન પહોંચી શક્યું નથી. તે વિસ્તારમાં 1 લાખ લોકો રહે છે, તેની પાછળ એક નેતા ઉભા છે અને તે કહે છે કે તે છાતીમાં ગોળી લેશે પણ તાલિબાન સામે ઝૂકશે નહીં. તાલિબાનના પકડાયા બાદ જ્યારે દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની ભાગી ગયા ત્યારે આ નેતાએ તાલિબાનને પડકાર્યો છે.</p> <p>આ નેતાનું નામ અમરૂલ્લાહ સાલેહ છે, સાલેહ ગની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતા. અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રખેવાળ પ્રમુખ જાહેર કર્યા અને તાલિબાન સામે છેલ્લા શ્વાસ સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે.</p> <p>તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું દેશની અંદર છું અને કાયદેસર રીતે હું આ પદનો દાવેદાર છું. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનનું બંધારણ તેને જાહેર કરવાની સત્તા આપે છે. તેમણે લખ્યું છે કે તેઓ તમામ નેતાઓ સુધી પહોંચી રહ્યા છે જેથી તેમનો ટેકો મેળવી શકાય અને સર્વસંમતિ મેળવી શકાય.</p> <p>અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ રાષ્ટ્રપતિ અશરફ ગનીની જેમ પોતાના દેશમાંથી ભાગ્યા નથી. તાલિબાન પકડાયા બાદ સાલેહની પ્રથમ તસવીર પણ સામે આવી હતી. તેઓ અફઘાનિસ્તાનના પંજશીરમાં જોવા મળ્યા છે.</p> <p>સાલેહને અહમદ શાહ મસૂદના પુત્ર અહેમદ મસૂદ અને તાલિબાન વિરોધી કમાન્ડરોને મળતા જોવા મળ્યા હતા. હાલમાં, તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો ત્યારથી પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને શાંતિ પરિષદના વડા અબ્દુલ્લા અબ્દુલ્લા સહિત અનેક અફઘાન નેતાઓ વાટાઘાટો કરી રહ્યા છે.</p> <p><strong>અમરૂલ્લાહ સાલેહ કોણ છે જેમણે તાલિબાનને પડકાર્યો હતો</strong></p> <p>અમરૂલ્લાહ સાલેહ, જેમણે પોતાને તાલિબાનના રખેવાળ પ્રમુખ જાહેર કર્યા, તેઓ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે ફેબ્રુઆરી 2020 માં અબ્દુલ રશીદ દોસ્તમ બાદ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે અગાઉ 2018 અને 2019 માં અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી તરીકે અને 2004 થી 2010 સુધી રાષ્ટ્રીય સુરક્ષા નિયામક (NDS) ના વડા તરીકે સેવા આપી હતી.</p> <p>1990માં સાલેહ સોવિયેત સમર્થિત અફઘાન સેનામાં ભરતી ટાળવા માટે વિપક્ષી મુજાહિદ્દીન દળોમાં જોડાયા. તેણે પડોશી પાકિસ્તાનમાં લશ્કરી તાલીમ મેળવી અને મુજાહિદ્દીન કમાન્ડર અહમદ શાહ મસૂદ હેઠળ લડ્યો. 1990ના દાયકાના અંતમાં તે ઉત્તરી જોડાણના સભ્ય બન્યા અને તાલિબાનના વિસ્તરણ સામે પણ લડ્યા.</p> <p>સાલેહને ખુલ્લેઆમ પાકિસ્તાનના વિરોધી અને ભારતના નજીકના માનવામાં આવે છે. તેના પર અફઘાન નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીઓનો દુરુપયોગ કરીને પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. અમરુલ્લાહ સાલેહે ભારત પાસેથી મદદ મેળવવા ઓક્ટોબર 1996 માં ભારતીય રાજદ્વારી મુથુ કુમાર અને મુજાહિદ્દીન કમાન્ડર અહમદ શાહ મસૂદ વચ્ચે બેઠકનું પણ આયોજન કર્યું હતું.</p>

from world https://ift.tt/3iRNpyC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...