મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એટ્રી થશે, આજથી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

<p>ફરી મેઘરાજા કરશે જમાવટ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર સોમવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. હવામાન વિભાગના મતે આ સીઝનમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે હજુ વરસાદની ઘટ છે. ત્યારે આજથી 5 ઑગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિનામાં સરેરાશ 6.92 ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p><strong>ભાવનગર જિલ્લામાં વરસાદ નહી પડતા ખેડૂતોની ચિંતા વધી</strong></p> <p>હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પરંતુ ભાવનગર જિલ્લામાં વરસાદ આવતો નથી તેથી ખેડૂતોની ચિંતા વધી છે. આશરે એક માસ પૂર્વે સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી નાખી હતી પરંતુ ત્યારબાદ સારો વરસાદ પડતો નથી. થોડા દિવસ પૂર્વે ઝરમર વરસાદ પડયો હતો તેથી ખેડૂતોને થોડી રાહત થઈ હતી પરંતુ ત્યારબાદ વરસાદ પડયો નથી તેથી ખેડૂતોની મુંઝવણ વધી છે. હાલ વરસાદની આગાહી છે અને આકાશમાં વાદળો પણ ઘેરાય છે પરંતુ વરસાદ પડતો નથી.</p> <p><strong>સમગ્ર દેશમાં વરસાદ</strong></p> <p>હવામાન વિભાગ અનુસાર, 01 થી 02 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 02 ઓગસ્ટ સુધી, પૂર્વીય યુપીના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પણ શક્ય છે.</p> <p>ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો માટે &lsquo;રેડ એલર્ટ&rsquo; જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 થી 4 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતમાં બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.&nbsp;</p> <p>વરસાદ નહી પડતા ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમો પણ ખાલી જોવા મળી રહ્યા છે. થોડા દિવસમાં વરસાદ નહી પડે તો ખેતીનો પાક સુકાય જવાની ભીતિ રહેલી છે ત્યારે હાલ વરસાદ માટે ખેડૂતો પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3if4pyw
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...