મુખ્ય સામગ્રી પર જાઓ

ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

<p>રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોએ થોડો રાહતનો દમ લીધો છે.</p> <p><strong>બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ</strong></p> <p>બનાસકાંઠા જિલ્લામાં સોમવારે મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના તાલુકામાં રાતે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે પાલનપુરના દિલ્લી ગેટ બિજેશ્વરી કોલોનીમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. છેલ્લા દોઢ મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોનો જે પાક સુકાઈ રહ્યો હતો. તેને જીવનદાન મળ્યું છે.</p> <p><strong>અમદાવાદ એરપોર્ટ પર શેડ્યૂઅલ ખોરવાયા</strong></p> <p>વરસાદી માહોલના કારણે અમદાવાદ એયરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધારે ફ્લાઈટનું શેડ્યુલ ખોલવાયુ છે. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે અમદાવાદથી ઓપરેટ થતી દિલ્લી અને ચૈન્નઈની ફ્લાઈટ રદ કરવામાં આવી. તો અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે બાદમાં 20થી 2 કલાક સુધી રદ થયા બાદ ફ્લાઈટે ઉડાન ભરી હતી.</p> <p><strong>વરસાદમાં કૃષ્ણ જન્મોત્સવ</strong></p> <p>રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ કૃષ્ણ જન્મોત્સવ મનાવાયો હતો. કૃષ્ણ જન્મ સમયે જ ગોંડલ ગ્રામ્યમાં મધરાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જ કૃષ્ણ જન્મ સાથે મેઘમહેર થતા ગ્રામજનોએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા ગણી વરસાદના પણ વધામણા કર્યા છે. ગોંડલના મોટા ઉમવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ નોંધાયો હતો.</p> <p><strong>ખેડૂતો મુશ્કેલીમાં</strong></p> <p>દ્વારકા જિલ્લો જ્યાં છેલ્લા 48 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સૂકાવા લાગ્યો છે. દ્વારકા સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. દ્નારકા જિલ્લામાં સિઝનનો 39.16 ટકા અને માત્ર 11 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં ભાણવડ તાલુકામાં 34.40 અને 9 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 44.37 ટકા અને 6 ઈંચ, ખંભાળિયામાં 43.49 ટકા અને 13 ઈંચ વરસાદ વરસ્યો. એવામાં અમારા સંવાદદાતા ખેડૂતોનું દર્દ જાણવા જિલ્લાના ગઢેચી ગામ પહોંચ્યા અને ખેડૂતોનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો.</p>

from gujarat https://ift.tt/2WAPuX9
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

<p>ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.&nbsp;</p> <p><strong>અમેરિકા પહેલા નંબરેઃ</strong><br />ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને &nbsp;વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયા કયા નંબર પર?</strong><br />અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...