મુખ્ય સામગ્રી પર જાઓ

હડતાળ પર ગયેલા રેસિડેન્ટ તબીબો ફરજ પર ફરશે પરત, આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક બાદ નિર્ણય

<p>છેલ્લા સાત દિવસથી રેસિડેંટ તબીબોની હડતાળને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે થયેલી આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બાદ JDAએ નિર્ણય લીધો છે કે હડતાળ પર ગયેલા રેસિડેંટ તબીબો ફરીથી ફરજ પર હાજર થશે. તમામ તબીબો કોવિડ ડ્યુટીમાં અને ઈમરજંસી સાથે OPDમાં ફરજ પર પરત ફરશે. જો કે આજે રેસિડેંટ તબીબો આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી શકે છે.</p> <p>મેડિકલ સુપ્રીટેંડંટ&nbsp; અને કોલેજના ડિને અસ્પષ્ટતા દુર કરી હોવાનો પણ રેસિડેંટ તબીબોએ સ્વીકાર કર્યો છે. જો કે આરોગ્ય વિભાગ લેખિતમાં બાંહેધરી નહી આપે ત્યાં સુધી માગ ચાલુ રહેશે તેવુ રેસિડેંટ તબીબોએ જણાવ્યું છે.</p> <p><strong>મુખ્યમંત્રીનો ખેડૂતોના હિતમાં નિર્ણય</strong></p> <p>રાજ્યમાં વરસાદ ખેંચાતા અને અપેક્ષા કરતા માંડ ત્રીજા ભાગનો વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ 30 સપ્ટેમ્બર સુધી લોકો માટે પીવાનું પાણી રિઝર્વ રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે ફાળવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p> <p>મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઉભા પાકને બચાવવા માટે તાત્કાલિક અસરથી છોડી દો. તેનો લાભ સમગ્ર રાજ્યના પાંચ લાખ હેક્ટર જમીન વિસ્તારને મળતો થશે. સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેક્ટર જમીનને, તો ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમનું પાણી 15 હજાર હેક્ટરને સિંચાઈ માટે મળતુ થશે.</p> <p>મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાંડને છ હજાર ક્યુસેક પાણી સિંચાઈ માટે પુરૂ પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના 11 જળાશયોમાંથી બે લાખ 10 હજાર હેક્ટરને સિંચાઈ માટે પાણીઅપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના છ જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની એક લાખ 90 હજાર હેક્ટર જમીનનેસિંચાઈના પાણીની સવલતનો ફાયદો થશે.</p> <p>મુખ્યમંત્રીએ અગાઉ જુલાઈ મહિનામાં ખેડૂતોને આઠને બદલે દસ કલાક વીજળી આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે. ત્યારે હવે વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં તેમણે રાજ્યના જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે</p>

from gujarat https://ift.tt/3CEEd8I

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...