મુખ્ય સામગ્રી પર જાઓ

સરકાર સાથે બેઠકમાં કોઈ સમાધાન ન આવતા રેસિડેન્ટ ડોક્ટરો ફરી આજથી હડતાળ પર

<p>આરોગ્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ફરી એક વખત રેસિડેન્ટ તબીબોનો યુ ટર્ન. સંતોષકારક ઉત્તર ન મળતા રેસિડેન્ટ તબીબો ફરી હડતાળ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. ઇમરજન્સી અને કોવિડની શરૂ કરેલ સેવાઓ પણ આજથી પરત લેવાની જાહેરાત કરી છે. અને જ્યાં સુધી તમામ માંગણી સંતોષાય નહિ ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે.</p> <p>આજે સવારે 10 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબો બી.જે.મેડિકલ ખાતે એકઠા થશે. રેસિડેંટ ડોક્ટરોની હડતાળ મુદ્દે બુધવારે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટો થઈ. જો કે મોડી રાત સુધી કોઈ સમાધાન ન થતા ડોક્ટરોએ ઈમરજન્સી ડ્યૂટી અને કોવિડ ડ્યૂટી બંધ કરવાની જાહેરાત કરી છે.</p> <p>સરકારે બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછી ખેંચાય તે માટે રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવા માટે બી.જે.મેડિકલ કોલેજના ડીન તેમજ જીએમસી પ્રેસિડેન્ટ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિ.સહિતના ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી અને ગઈકાલે સવારે રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા.</p> <p>ગઈકાલે સવારે વાતચીત દરમિયાન ડોક્ટરો અને યુનિયર ડોક્ટરો ઇનરજન્સી સેવામાં જોડાઈ ગયા હતા પરંતુ હડતાલ ચાલુ રાખી હતી. બાદમાં મોડી રાતે ગાંધીનગરમાં ફરી મીટિંગ બોલાવી હતી. સરકાર તરફથી રેસિડેન્ટ ડોક્ટર્સને ખૂબ જ સમજાવવામા આવ્યા હતા પરંતુ મીટિંગમાં કોઈ પણ નિરાકરણ ન આવતા અને લેખિત ખાત્રી ન મળતા હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને ફરીથી આજથી ઇનરજન્સી સેવાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.</p> <p>સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બી.જે.કોલેજના ડીન સહિતના સરકારના સભ્યો સાથે રેસિડેન્ટ ડોક્ટરો-એસો. સાથે બુધવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી.પરંતુ સરકાર સંપૂર્ણ રીતે બોન્ડના નિયમમાં ફેરફાર કરવા તૈયાર નથી બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરો પણ પોતાની માંગ પર મક્કમ છે અને તેના કારણે આ મામલે કોઈ સમાધાન હજુ સુધી આવ્યું નથી. &nbsp;</p> <p>ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની તબીબો પોતાની પડતર માગોને લઇ હડતાળ કરી રહ્યાં છે. સરકારની હોસ્ટેલ ખાલી કરાવવાની ચેતવણી છતાં ડોક્ટરો પોતાની માગ પર અડગ છે. ત્યારે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તબીબો પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં તબીબોએ મોટી સંખ્યામાં એકઠાં થઇ ભારે સૂત્રોચાર કર્યા હતા.</p>

from gujarat https://ift.tt/37B0oOK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...