મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ફરી થશે મેઘ મંડાણ, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં થશે મેઘ મહેર

<p>ગુજરાતમાં બહુ લાંબા સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. જો કે આગામી ત્રણ દિવસમાં ચોમાસુ &nbsp;સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલની જમાવટ થાય તેવા સંકેત&nbsp; હવામાન વિભાગે આપ્યા છે.</p> <p>જન્માષ્ટમી બાદના ત્રણ દિવસોમાં ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ગીર સોમાનાથ, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.</p> <p>લાંબા સમયના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાની યાત્રાધામ શામળાજીમાં પધરામણી થઈ છે. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો.</p> <p>ભિલોડાના નાપડાકંપામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. જિલ્લાના ખેડ઼ૂતોનો પાક મુરજાઈ રહ્યો છે. હાલ ખેડૂતોને વરસાદની ખુબ જ જરૂર છે. અરવલ્લી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના મોટાભાગના ડેમમાં જળસ્તર નીચે ગયા છે.</p> <p><strong>સાબરકાંઠા જિલ્લામાં વરસાદ<br /></strong>સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડ્યો છે. વિજયનગર બાદ ખેડબ્રહ્મા, પોશીના અને ઇડર પંથકમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડવાને કારણે ખેડૂતોને વરસાદ વરસવાને લઈ આશા જીવંત થઈ છે. હિંમતનગર તાલુકામાં સીઝનનો અત્યારસુધીમાં 9 ઈંચ, ઈડરમાં 10 ઈંચ, ખેડબ્રહ્મામાં 8 ઈંચ વરસાદ, પોશીનામાં 11 ઈંચ સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે.</p> <p><strong>અમરેલીમાં વરસાદ<br /></strong>અમરેલીના જાફરાબાદ, ખાંભામાં વરસાદ પડ્યો હતો. સાંજ બાદ જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખાંભામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના ખાંભામાં અત્યારસુધીમાં સીઝનનો સાડા દસ ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 73.85 ટકા વરસાદ પડ્યો છે.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3jsivNr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...